Only Gujarat

FEATURED National

આખરે, કબ્રસ્તાનમાં એવું તો શું બન્યું કે ડેડબોડીને જોતા જ પરિવારે લાગ્યો આઘાત?

જમશેદપુરઃ કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા ભારતમાં રોજેરોજ વધી રહી છે. આ સાથે જ મૃતદેહોની અદલાબદલી પણ વધી રહી છે. ઝારખંડના જમશેદપુરમાં પણ આવી ઘટના સામે આવી છે. જમશેદપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીના નિધન બાદ તેનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. કબ્રસ્તાન પહોંચ્યા બાદ દફનવિધિ પહેલા મૃતદેહનો ચેહરો જોવા કપડું હટાવવામાં આવ્યું તો જાણ થઈ મૃતદેહ મહિલાનો છે, જ્યારે મોત તો પુરુષનું થયું હતું.

મોહમ્મદ સમીર અન્સારીનું નિધન કોરોનાને લીધે થયું હતું. હોસ્પિટલમાં મૃતદેહને પોલિથીનમાં પેક કરી જમશેદપુર મોકલવામાં આવ્યું. અંતિમ સંસ્કારની વિધિ માટે પીપીઈ કિટની સાથે મૃતકના પરિવારજનોએ ચહેરો જોયો તો મૃતદેહ મહિલાનો હતો. જે પછી આ અંગે મૃતકના પરિવારજનોએ એસીએસ હોસ્પિટલના ઈન્ચાર્જ ડૉક્ટર મોહમ્મદ આસિફને આપી તો તેઓ પણ ચોંક્યા હતા. અંતિમવિધિ તો ના થઈ પરંતુ આ મૃતદેહની અદલાબદલીથી વિવાદ ચોક્કસ શરૂ થઈ ગયો. જમશેદપુરમાં આવી ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે.

ઝારખંડના મુખ્યમંત્રીએ આ ઘટનાની નોંધ લીધી છે અને હોસ્પિટલ મેનેજમેન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની વાત કરી છે. મૃતકના મોટાભાઈ અબ્દુલ હમીદે હોસ્પિટલ પર આ મામલે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેમણે ખાનગી હોસ્પિટલ પર કોરોનાના નામે પરિવારને બરાબરનો લૂંટવાનો આરોપ લગાવ્યો છે. ઘરના કોઈપણ સભ્યને દર્દી સાથે મુલાકાત કરવા દેવાતી નહોતી અને મૃતદેહ પણ કોઈને દેખાડ્યા વગર જ મોકલી દેવાયો હતો.

પરિવારજનોએ કબ્રસ્તાનમાં ચહેરો જોતા જ બૂમ પાડી હતી, કારણ કે મૃતક કોઈ મહિલા હતી. પરિવારજનોએ પહેલા હોસ્પિટલને સૂચના આપી તો તેમણે આ અંગે ઈન્કાર કરી દીધો. જે પછી સરકારી તંત્રને જાણ કરવામાં આવતા પરિવારજનોને તેમના મૃતક પરિજનનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આ મામલે એસપી સુભાષ ચંદ્ર જાટે કહ્યું કે,‘અમને આ મામલે સૂચના મળી હતી કે કબ્રસ્તાનમાં વિવાદ થયો છે. ત્યાં જઈ મૃતદેહની અદલાબદલી થઈ હોવાની માહિતી મળી અને હોસ્પિટલે પુરુષ મૃતકના સ્થાને અજ્ઞાત મહિલાનો મૃતદેહ તેમને સોંપ્યો હતો.’

આમ થઈ મૃતદેહની અદલાબદલી: વાસ્તવમાં આ બેદરકારીની હદ પાર કરનારી ઘટના એસ્કલેપિયસ હોસ્પિટલની છે. જ્યાંના સ્ટાફે કોરોનાના કારણે મૃત્યુ પામેલા પુરુષ અને મહિલાની ડેડબોડી પર ખોટી ચિઠ્ઠી લગાવી હતી. મહિલાની ડેડબોડી પર પુરુષ નામની ચિઠ્ઠી હોવાને કારણે પુરુષ મૃતકના પરિવારજનો સુધી ખોટી ડેડબોડી પહોંચી હતી. બીજી તરફ મૃતક મહિલાના પરિવારજનોને મૃતદેહ ના અપાતા તેમણે હોસ્પિટલ મેનેજમેન્ટ વિરુદ્ધ હંગામો કર્યો અને ત્યાં તોડફોડ કરી. ઘણા કલાક બાદ જમશેદપુરથી મૃતદેહ રાંચી પરત આવ્યા બાદ મહિલાના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો.

You cannot copy content of this page