Only Gujarat

Bollywood

આ બોલિવૂડ સ્ટાર્સ છે એકદમ અંધશ્રદ્ધાળું, કેટલાક પહેરે છે વીંટી તો કોઈ પહેરે છે બ્રેસલેટ

મુંબઈઃ જે લોકો બોલિવૂડમાં કોને કોઈ વસ્તુથી ડરે છે તે ડરથી બચવા માટે તે ઘણીવાર અંધવિશ્વાસનો સહારો લે છે, કેમ કે તેમને લેગે છે કે, આવું કરવાથી તેમના જીવનની નાકારાત્મકતા દૂર થઈ જશે. આમ તો આ ડર માત્ર સામાન્ય લોકોને નથી હોતો, પણ બોલિવૂડ સ્ટારના મનમાં પણ કોઈને કોઈ ડર હોય છે ત્યારે જ તે ઘણી રીતના અંધવિશ્વાસનો સહારો લે છે. અમે તમને જણાવીએ એવા બોલિવૂડ સ્ટાર વિશે જે પોતાની જિંદગી અને કામને બનાવવા માટે અંધવિશ્વાસનો સહારો લે છે.

અમિતાભ બચ્ચન
આ લિસ્ટમાં પહેલાં વાત કરીએ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનની. અમિતાભ બચ્ચન કારને ખરાબ નજરથી બચવા માટે હંમેશા 2 નંબરને જરૂર રાખે છે. તેમની દરેક કાર પર 2 નંબર જરૂર જોવા મળશે.

સલમાન ખાન
દબંગ એટલે કે સલમાન ખાન પણ અંધવિશ્વાસ પર ખૂબ જ વિશ્વાસ કરે છે. તેમના હાથમાં એક બ્રેસલેટ છે જે તેમના પિતા સલીમ ખાને તેમને આપ્યું છે. સલમાન ખાન શૂટિંગ દરમિયાન પણ આ બ્રેસલેટને ઉતારતો નથી. કેમ કે તે ખૂદ તેને લકી માને છે.

કેટરીના કૈફ
કેટરીના કૈફે બોલિવૂડમાં એક એક્ટ્રસ તરીકે દશ વર્ષ પુરાં કરી લીધા છે. પોતાની એક્ટિંગ ઉપરાંત કરીના દરેક વાતને લીધે ચર્ચામાં રહે છે. ‘નમસ્તે લંડન’ ફિલ્મના પ્રમોશન દરમિયાન કેટરીના અજમેર શરીફની દરગાહમાં ગઈ હતી, જ્યાં તેમના કપડાં પર હોબાળો થયો પણ ફિલ્મે સારો બિઝનેસ કર્યો હતો. ત્યારથી કેટરિના તેની દરેક ફિલ્મના રિલીઝ પહેલાં અજમેર શરીફ દરગાહ પર જઈ દુઆ માગે છે.

એકતા કપૂર
એકતા કપૂર તેમના કામથી જોડાયેલી દરેક બાબતમાં જ્યોતિષનું સૂચન લે છે પછી તે ભલે શૂટિંગની તારીખ હોય કે, શૂટિંગની જગ્યાએ તેમની આંગળીમાં વીંટી કેમ ના હોય. એકતા કપૂરની દરેક આંગળીઓમાં વીંટી જરૂર હોય છે.

દીપિકા પાદુકોણ
ફિલ્મ ‘પદમાવત’ રિલીઝ થયાં પહેલાં પણ દીપિકા પાદુકોણ સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન માટે ગઈ હતી. જોકે, દીપિકાને બાપ્પાને ખૂબ જ માને છે, એટલા માટે તે પોતાની દરેક ફિલ્મ રિલીઝ પહેલાં સિદ્ધિવિનાયક મંદિર પર જાય છે.

You cannot copy content of this page