23 વર્ષ પહેલાં રાતોરાત ગાયબ થઈ ગઈ હતી અક્ષય કુમારની આ એક્ટ્રસ, જાણો આજે ક્યાં છે?
મુંબઈઃ 90નાં દશકમાં આવેલી સુપરહિટ ફિલ્મ ‘જાન તેરે નામ’ (1992)ની હિરોઈન ફરહીન લાંબા સમયથી ગાયબ હતી. આ ફિલ્મ પછી ફરહીન 1994માં આવેલી ફિલ્મ ‘નજર કે સામને’માં અક્ષય કુમાર સાથે જોવાં મળી હતી. આ પહેલાં તે ફિલ્મ ‘સૈનિક’માં અક્ષય કુમારની બહેન બની હતી. ઉલ્લેખનીય છે કે, ફરહીને 1997માં ટીમ ઇન્ડિયાના ક્રિકેટર મનોજ પ્રભાકર સાથે છુપાઈને લગ્ન કરી લીધા હતાં અને બોલિવૂડ છોડી દિલ્હી જતી રહી હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફિલ્મ ‘જાન તેરે નામ’ના ડિરેક્ટર દીપક બલરાજ વિજેએ તેમને તે ફિલ્મની સીક્વલ માટે એપ્રોટ કર્યો હતો. પણ ફરહીને તે ફિલ્મમાં માનો રોલ કરવાની ના પાડી હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફિલ્મ ‘જાન તેરે નામ’ના ડિરેક્ટર દીપક બલરાજ વિજેએ તેમને તે ફિલ્મની સીક્વલ માટે એપ્રોટ કર્યો હતો. પણ ફરહીને તે ફિલ્મમાં માનો રોલ કરવાની ના પાડી હતી.
ફરહીનના પતિ મનોજના પહેલાં લગ્ન 1986માં સંધ્યા સાથે થયાં હતાં. તે પછી સંધ્યા સાથે અલગ થઈ મનોજ અને ફરહીન લિવ ઇનમાં રહેતાં હતાં. મનોજ પ્રભાકર અને સંધ્યાના લગ્ન તૂટવાનું કારણ ફરહીન હતી. ઉલ્લેખનીય છે કે, તે સમયે એવાં સમચાર હતાં કે બંનેએ છુપાઈને લગ્ન કરી લીધા છે.
2013માં મનોજ પ્રભાકરની પહેલી પત્ની સંધ્યાએ એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, મનોજ લગ્ન વગર 6 વર્ષ સુધી ફરહીન સાથે એક જ ઘરમાં રહેતાં હતાં. આ સાથે જ તેમણે મનોજ પર માનસિક રૂપે હેરાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ફરહીનનો ચહેરો માધુરી દીક્ષિત સાથે ઘણો મળે છે. આ જ કારણે તેની ફેન ફોલોઇંગ ઝડપી વધી રહી હતી. જો કે, લગ્ન પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાને લીધે તેમના ફેન ખૂબ જ નિરાશ થયાં હતાં.
ફરહીન અત્યારે દિલ્હીમાં એક સફળ બિઝનેસવુમન છે. તેમને હર્બલ સ્કિન કેર પ્રોડક્ટનો બિઝનેસ છે. તે ‘નેચરેન્સ હર્બલ્સ’ નામની કંપનીની ડાયરેક્ટર છે. આ કંપની તેમને પતિ મનોજ પ્રભાકર સાથે મળીને શરૂ કરી હતી. છેલ્લાં 18 વર્ષથી ફરહીન બિઝનેસ સંભાળી રહી છે. કંપનીનું ટર્ન ઓવર કરોડોમાં છે.
1993માં આવેલી ફિલ્મ ‘સૈનિક’માં ફરહીને અક્ષયકુમારની બહેનનો રોલ કર્યો હતો. આ ફિલ્મ ‘નજર કે સામને'(1994) પહેલાં રિલીઝ થઈ હતી. એટલે કે ફરહીન પહેલાં અક્ષયકુમારની બહેન બની અને પછી રોમાન્સ કરતી જોવાં મળી હતી.
1992માં આવેલી ફરબહીનની ડેબ્યુ ફિલ્મ સુપરહિટ રહી, જે પછી તેમને બોલિવૂડની જ નહીં પણ સાઉથની ફિલ્મોમાં પણ ઓફર મળવા લાગી. આ વર્ષે તેમણે કન્નડ ફિલ્મ ‘હલ્લી મેશ્તૂ’માં કામ કર્યું. આ પછઈ તેમની એક તમિલ ફિલ્મ 1993માં ‘કલઇગનન’ રિલીઝ થઈ હતી.
આ પછી ફરહીને 1993માં બોલિવૂડ મૂવી ‘આગ કા તૂફાન’, ‘દીલ કી બાઝી’, ‘સૈનિક’ અને ‘તહકીકાત’માં કામ કર્યું હતું. 1994માં તેમને ‘ફૌઝ’, ‘નજર કે સામને’, ‘અમાનત’ અને ‘સાજન કા ઘર’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું. ફરબીને છેલ્લે 1994માં આવેલી ફિલ્મ ‘સાજન કા ઘર’માં જોવા મળી હતી.