Only Gujarat

Bollywood FEATURED

આવા દેખાય છે નવા ‘અંજલિભાભી’, શરૂ કર્યું શૂટિંગ, જાણો તમામ વિગતો

ટીવીની લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મુખ્ય પાત્રોમાંના એક તારક મહેતાને ફરી એકવાર તેમની પત્ની મળી ગઈ છે. શોમાં તારક મહેતાની પત્નીની ભૂમિકા નિભાવી રહેલી એક્ટ્રેસ નેહા મહેતાએ આ શો છોડી દીધો છે. તાજા સમાચાર એ છે કે અંજલિ મહેતાની ભૂમિકા માટે નવી અભિનેત્રીની પસંદગી કરવામાં આવી છે.

આ શો છેલ્લાં 12 વર્ષથી ચાલી રહ્યો છે અને ટીવી પર ટીઆરપીના મામલામાં આ શો હંમેશા ટોચ પર રહ્યો છે. હવે, કેટલાક કલાકારોએ આ શોથી અંતર બનાવવાનું શરૂ કર્યું છે. આ શોમાં દયા બેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ લગભગ બે વર્ષ પહેલા આ સિરિયલ છોડી દીધી હતી.

હવે તાજેતરમાં નેહા મહેતા અને ગુરુ ચરણસિંહે પણ આ શોને અલવિદા કહી દીધું છે. જો કે, તેમના શો છોડવાનું કારણ સ્પષ્ટ નથી. નિર્માતાઓએ પોતાનો શો તો ચલાવવાનો જ છે, તેથી આ બંનેનું પાત્ર ભજવવા માટે, તેઓએ નેહા મહેતાની જગ્યાએ સુનયના ફોઝદાર (Sunayana Fozdar) અને ગુરુચરણસિંહની જગ્યાએ બલવિંદર સિંહ સૂરી (Balwinder Singh Suri)એ જગ્યા લીધી છે.

સુનયના હવે આ શોમાં અંજલિ મહેતાની ભૂમિકા નિભાવતી જોવા મળશે. સૂત્રોએ જણાવ્યું છે કે તેણે આ રવિવાર એટલે કે 23 ઓગસ્ટથી તેણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

સુનયના અગાઉ પણ અનેક ટીવી સિરિયલો જેવીકે, સંતાન, બેલન વાલી બહૂ, લાગી તૂજસે લગન, લેફ્ટ રાઈટ લેફ્ટ, કુબૂલ હૈ વગેરેમાં કામ કર્યુ છે.

બલવિંદરે સાજન ચલે સસુરાલ, ધમાલ, દિલ તો પાલગ હૈ, જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. ફિલ્મ દિલ તો પાગલ હેમાં બલવિંદરે શાહરૂખનાં મિત્રનું પાત્ર નિભાવ્યુ હતુ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page