મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. આ સિરિયલ નાના બાળકોથી વૃદ્ધો સુધી દરેક લોકો પસંદ કરે છે. આમ તો, આ સિરિયલ દયા ભાભી એટલે કે, દિશા વાકાણી અને જેઠાલાલ એટલે કે, દિલીપ જોષીની કૉમિક કેમેસ્ટ્રી માટે ઓળખાય છે. આ ઉપરાંત અન્ય કેરેક્ટર પણ મહત્ત્વના છે.
ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે દિલીપ જોષી તેમના ઘરે ગણપતિની સ્થાપના કરી તેમની પૂજા પણ કરી હતી. આ પછી તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શ્રીગણેશજીની મૂર્તિ સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં તે ભગવાન શ્રીગણેશને પગે લાગી રહ્યાં છે.
આ ફોટો શેર કરતાં દિલીપ જોષીએ લખ્યું, ‘પ્રાણમ્ય શ્રીસા દેવમ ગૌરી પુત્રમ્ વિનાયકમ્’, ગણેશ ચતુર્થીની શુભકામનાઓ, આશા રાખું છું કે, દરેક આ વર્ષે સુરક્ષા સાથે સેલિબ્રેશન કરશે અને મહામારીને ભગાડવામાં ગણપતિ બાપ્પા મદદ કરશે.’ દિલીપ જોષી દ્વારા શેર કરવામાં આવેલાં આ ફોટો પર ફેન્સ ખૂબ જ કોમેન્ટ કરી રહ્યાં છે.
વાત કરીએ સિરિયલની તો, અંજલિ તારક મહેતાનો રોલ પ્લે કરનારી નેહા મહેતાએ 12 વર્ષ પછી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ને અલવિદા કહ્યું છે. તો રોશન સિંહ સોઢીનો રોલ પ્લે કરનાર ગુરુચરણ પણ હવે આ સિરિયલનો ભાગ રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે, બંને એક્ટર્સ તરફથી આ બાબતે કોઈ અધિકારીક નિવેદન આવ્યું નથી.
જુલાઈ 2008માં શરૂ થયેલી આ સિરિયલ ટીવી હિસ્ટ્રીની સૌથી લાંબી ચાલનારી સિરિયલમાંથી એક છે. આ સિરિલના આજ સુધી લગભગ 2,967થી વધારે એપિસોડ ટેલિકાસ્ટ થઈ ગયાં છે.
તારક મહેતા કા ઉલટા ચશ્મામાં દિશા વકાણીએ દયાબેનના રોલ પ્લે કર્યો અને તેમની દમદાર એક્ટિંગ અને બોલવાની લઢણને લીધે તેમને કૉમેડી ક્વીન બનાવી દીધા. તો જેઠાલાલના ફેન્સ પણ ઓછા નથી.