Only Gujarat

Bollywood

‘એવું લાગી રહ્યું છે કે ઘા તાજા થઇ ને લોહી વહી રહ્યું છે’ અભિનેત્રી થઈ ઈમોશનલ

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેના નજીકના લોકો માટે આ માનવું મુશ્કેલ બની રહ્યું છે. સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ રિલીઝ થવાની છે. અભિનેત્રી સંજના સંઘી આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. સુશાંતના મોતથી સંજના આઘાતમાં છે. તેમણે એક ભાવુક પોસ્ટ લખી છે. સુશાંત સાથેની તસવીર શેર કરતાં સંજના લખે છે કે ‘જે લોકો કહેતા હતા કે સમય ઘાને ભરી દેશે તેઓ ખોટું બોલતા હતા. કંઈક એવું લાગી રહ્યું છે કે ઘા તાજા થઇ ને લોહી વહી રહ્યું છે. તે ક્ષણો જે કાયમ માટે યાદો બની જશે. અમે સાથે હસ્યા પણ એ ફરી ક્યારેય નહીં થાય.


સંજના આગળ લખે છે કે ‘એવા સવાલો જેના જવાબો મળશે નહીં. અવિશ્વાસ એવો જે માત્ર વધે છે. આ ઘામાં એક ફિલ્મ પણ શામેલ છે. એક ભેટ છે જેને હજી બધાએ જોવાની બાકી છે. આપણા દેશના બાળકો, તેમના શિક્ષણ અને તેમના ભવિષ્યના સપનાઓ,યોજનાઓ અને ઈચ્છાઓનો સમાવેશ થાય છે જે પૂર્ણ થશે.’

સંજના લખે છે કે ‘હું વચન આપું છું કે આ દરેક સપનાને પૂરા કરવા માટે હું બધું કરીશ જેમ આપ હંમેશાં મારી પાસેથી ઇચ્છતા હતા. તમે વચન આપ્યું હતું કે આપણે બધા સાથે મળીને કામ કરીશું.’

જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી સોશિયલ મીડિયા પર બોલિવૂડની ઘણી હસ્તીઓની સામે લોકોનો ગુસ્સો ભભૂકી રહ્યો છે. ટ્વિટર પર કલાકારો સામે જંગ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને કરણ જોહર, આલિયા ભટ્ટ, સલમાન ખાન અને એકતા કપૂર સહિતના લોકો પર નેપોટીઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત પણ આ જૂથવાદનો ભોગ બન્યા છે.

You cannot copy content of this page