Only Gujarat

Bollywood

એન્જિનિયરિંગમાં રેન્કર સુશાંત બીજા લોકો માટે હતો એક પ્રેરણાદાયી વ્યક્તિ

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત એ 14 જૂને મુંબઇ સ્થિત તેમના ઘરે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. હવે તેમના ચાહકો સતત તેમની જૂની યાદોને તાજી કરી રહ્યા છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપણી વચ્ચે નથી, પરંતુ ચાહકો સતત તેમની જૂની યાદોને તાજી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર રોજેરોજ સુશાંત સિંહ રાજપૂતના જૂના વીડિયો અને ફોટોઝ સામે આવી રહ્યા છે. તે મોટાભાગના વીડિયો અને ફોટોમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તેથી જ તો લોકોને વિશ્વાસ નથી થઇ રહ્યો, કે સુશાંતે આત્મહત્યા કરી અને એક ઝટકામાં આપણાથી દૂર ચાલ્યા ગયા.

ટ્વિટર યુઝરે શેર કર્યો વીડિયો: ટ્વિટર યુઝરે સુશાંત સિંહ રાજપૂતનો એક જૂનો વીડિયો તેના હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે બંને હાથથી એકસાથે લખતા જોવા મળી રહ્યા છે. સુશાંતે એક સાથે બંને હાથથી તેની ફિલ્મ છિછોરેના સહ-અભિનેતા તાહિર રાજ ભસીનનું નામ લખ્યું છે. આ પછી, તે ખૂબ જ ખુશ દેખાય છે. આ વીડિયો જોઈને, તમે અનુમાન કરી શકો છો કે અભિનેતા એકદમ મલ્ટિ-ટેલેન્ટેડ હતા.

નોંધનીય છે કે સુશાંત ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો. તે એન્જિનિયરિંગમા રેન્કર હતો. તેણે એન્જિનિયરિંગની ઓલ ઈન્ડિયા રેન્કિગમાં સાતમો રેન્ક મેળવ્યો હતો. પણ સુશાંતે એક્ટિંગ માટે પાછળથી કોલેજના ત્રીજા વર્ષમાં ભણવાનું છોડી દીધું હતું.

પોલીસે રિયા ચક્રવર્તીની 11 કલાક પૂછપરછ કરી
પોલીસ સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં તપાસ કરી રહી છે. પોલીસે આ કેસમાં તેના મિત્રો, પરિવારના સભ્યો, તેની સાથે કામ કરતા લોકો સહિત એક ડઝનથી વધુ લોકોનાં નિવેદનો નોંધ્યા છે. પોલીસે ગુરુવારે અભિનેતાની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની આશરે 11 કલાક પૂછપરછ કરી.

સુશાંતસિંહ રાજપૂતે 14 જૂને આત્મહત્યા કરી હતી
આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઇ સ્થિત તેમના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ડિપ્રેશનનો શિકાર હતા અને દવાઓ લઈ રહ્યા હતા. સુશાંત સિંહના નિધન બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ અંગે વિવાદ ચાલી રહ્યો છે.

સેંડ આર્ટિસ્ટે સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપી, કહ્યું- ભાઈ! આ કેવું પાત્ર હતું જેણે અમને રડાવી નાખ્યા ?
બિહારના ‘લાલ’ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાનથી આખો દેશ દુ:ખી છે. તેના ચાહકો તે સમજવામાં અસમર્થ છે કે જિંદાદિલ સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયા કેમ છોડી દીધી. તેમને ચાહનારા લોકો સુશાંતસિંહ રાજપૂતને તેમની રીતે શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે. આ કડીમાં, છપરા જિલ્લાના જાણીતા સેંડ આર્ટિસ્ટ અશોકે દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપીને પૂછ્યું છે કે તે કયું પાત્ર હતું જે અમને રડાવી ગયું.

સેંડ આર્ટિસ્ટ અશોકે સરયુના ઘાટ પર સુશાંત સિંહનું હસતું સેંડ આર્ટ બનાવી અને તેમને શ્રદ્ધાંજલિ આપી. મીડિયા સાથે વાત કરતા અશોકે કહ્યું છે કે સુશાંત સિંહે આત્મહત્યા કેમ કરી તે ચર્ચાનો વિષય છે. પરંતુ આ રીતે આત્મહત્યા કરવાથી તેના સેંકડો ચાહકોને દુઃખ થાય છે, જે હંમેશા તેને મોટા સ્ક્રીન પર હસતા જોવા ઇચ્છતા હતા. ફિલ્મ ‘છિછોરે’માં આપઘાત જેવા ગંભીર વિષય સામે સંદેશ આપતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાને અશોકે દુઃખદ કહ્યું છે. જો કે, તેમણે કહ્યું છે કે આ દુઃખની ઘડીમાં, સમગ્ર દેશની સહાનુભૂતિ સુશાંતના પરિવાર સાથે છે અને તે બધા તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

You cannot copy content of this page