એક બાજુ સાવકી દીકરી ડ્રગ્સ કેસમાં ફસાઈ પણ કરીનાએ પતિ સાથે છોડ્યું મુંબઈ, શું છે હકીકત?
કરીના કપૂરે હાલમાં જ તેનો 40 મો જન્મદિવસ ઉજવ્યો છે. પ્રગ્નેન્ટ કરીના ઉજવણી બાદ મુંબઈથી રવાના થઈ ગઈ છે. તેની સાથે પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમૂર અલી ખાન પણ હતા. વાસ્તવમાં, કરીના પરિવાર સાથે મુંબઈના એરપોર્ટ પર દેખાઇ હતી. તે પોતાની આવનારી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાના શૂટિંગ માટે દિલ્હી જઈ રહી છે. અહેવાલો અનુસાર કરીના આમિર ખાન સાથે આવતા અઠવાડિયે ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ સમય દરમિયાન, તે દિલ્હીમાં નહીં પરંતુ તેના પટૌડી પેલેસમાં તેના પરિવાર સાથે રહેશે.
આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ મોટાભાગે થઈ ગયુ છે. તેના સીન્સનું શૂટિંગ દિલ્હીમાં થવાનું છે. કરીના બીજી વાર માતા બનવાના સમાચાર આવતાની સાથે જ નિર્માતાએ ફિલ્મનું શૂટિંગ જલ્દી પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે.
આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ મોટાભાગે થઈ ગયુ છે. તેના સીન્સનું શૂટિંગ દિલ્હીમાં થવાનું છે. કરીના બીજી વાર માતા બનવાના સમાચાર આવતાની સાથે જ નિર્માતાએ ફિલ્મનું શૂટિંગ જલ્દી પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે.
એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે કરીના-સૈફ પટૌડી પેલેસમાં જ ઓક્ટોબરમાં તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવા જઇ રહ્યા છે. પરિવારના અન્ય સભ્યો પણ આ પ્રસંગે હાજર રહી શકે છે.
લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનું શૂટિંગ કેટલાક અઠવાડિયા સુધી ચાલે તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં સૈફ અને કરીનાએ આ દરમિયાન પટૌડી પેલેસમાં રોકાવાનું નક્કી કર્યું છે. કરીના શૂટિંગ માટે પોતાની કારમાં પટૌડી પેલેસથી દિલ્હી અવર-જવર કરશે.
સૈફ, કરીના સાથે તેનો પુત્ર તૈમુર, તૈમૂરની નૈની, સૈફનો અંગત મદદનીશ, જિમ ટ્રેનર જશે. સૈફની માતા શર્મિલા ટાગોર પણ પુત્રવધૂ, પુત્ર અને પૌત્ર સાથે થોડા દિવસો વિતાવશે.
પેલેસ મેનેજમેન્ટે સૈફના આગમન પહેલા તેના મદદનીશો અને મહેલના કર્મચારીઓની કોરોના પરીક્ષણ હાથ ધર્યું છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન બધા કર્મચારીઓને બહાર જવા દેવાશે નહીં. આખા મહેલની સફાઇ પણ કરવામાં આવી છે. મુખ્ય મહેલ સેનેટાઈઝ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સૈફનું જીમ અને લાઇબ્રેરી સરસ રીતે ગોઠવી દેવામાં આવી છે.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, રણધીર કપૂરને પૂછવામાં આવ્યું હતું કે તેમને તેમની નાની પુત્રી કરીનાના બીજા સંતાન તરીકે પુત્ર કે પુત્રી શું જોઈએ છે? આના પર તેમણે કહ્યું હતું કે, પુત્રી કે પુત્રની કોઈ પ્રાથમિકતા નથી. તેમણે કહ્યું- અમે ફક્ત સ્વસ્થ, સુખી બાળક જોઈએ છે. અને તમને જણાવી દઈએ કે આખું કપૂર પરિવાર આ માટે ખુબ ઉત્સાહિત છે.
થોડા દિવસો તેમણે નાના બનવાની ખુશી વ્યક્ત કરતાં કહ્યુ હતુકે, હું ખુશ છું, અને હું લાંબા સમયથી કરીનાને કહી રહ્યો છું કે તૈમૂરને તેની સાથે રમી શકે તેવા ભાઈ કે બહેનની જરૂર છે.
એક ઇન્ટરવ્યૂમાં કરીનાએ તેની પહેલી પ્રેગ્નન્સી વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું- તૈમૂરના સમયે જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે બધા મને બહુજ ખાવા માટે કહેતા હતા અને આ કારણે જ મારું વજન 25 કિલો વધી ગયુ હતુ. હું ફરી એવું જ કરવા માંગતી નથી, મને બસ હેલ્ધી ખાવાનું અને ફીટ રહેવું છે.
તેણે કહ્યું હતું- મને લાગે છે કે પહેલી પ્રેગ્નેન્સી દરમિયાન દરેક કહેતા હતા કે પરોઠા ખાઓ, ઘી ખાઓ, દૂધ પીવો. પરંતુ હવે હું કહું છું કે આ પહેલા મેં આ બધું કર્યું છે. હવે હું જાણું છું કે મારા શરીરને શું જરૂર છે.