Only Gujarat

Bollywood FEATURED

સુશાંત સિંહના અવસાન પછી સતત રડતી હતી પૂર્વ પ્રેમિકા, હવે આ કારણે થઈ ખુશ

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી જ તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે ખૂબ જ ઉદાસ છે. સુશાંતના નિધન બાદ અંકિતા પોતાની સુધબુધ પણ ખોઈ બેઠી હતી. તેમને સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે તે શું કરે. દરેક ક્ષણે તેના ચહેરા પર ઉદાસી અને આંખોમાં આંસૂ જ નજર આવતા હતા. પરંતુ હવે અંકિતાના ચહેરા પર સ્મિત આવ્યું છે. આ ખુશી ઘરમાં પેદા થયેલા જુડવા બાળકોના કારણે છે. તેણે જુડવા બાળકોને ખોળામાં લઈને પોતાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં અંકિતાના ચહેરા પર ખુશી નજર આવી રહી છે.

અંકિતાએ લખ્યું કે- અમારો પરિવાર આનંદિત છે- એક નવા જીવનની શરૂઆત, અમારું ચક્ર આ જોડિયા બાળકોના જન્મ સાથે વધુ સમૃદ્ધ થઈ ગયું છે. તમારું સ્વાગત છે અબીર અને અબીરા.

જો કે, તેણે એ વાતનો ખુલાસો નથી કર્યો કે તેમના ઘરે ક્યા સભ્યે આ બાળકોને જન્મ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અંકિતા લાંબા સમયથી પોતાના એક્સ બૉયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માગ કરી રહી છે. સુશાંતને ન્યાય અપાવવાના જંગમાં તેના પિતાની સાથે અંકિતા પણ મજબૂત પિલર બનીને ઉભી છે. તેણે એક ઈન્ટરરવ્યૂમાં કહ્યું હતું કે સુશાંતે આત્મહત્યા ન કરી શકે. તેની હત્યા થઈ છે.

સુશાંતને ન્યાય અપાવવા માટે અંકિતાએ ટ્વિટર પર #WarriorsforSSR ટ્રેન્ડ જૉઈન કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે સુશાંતની માતાનો ફોટો હાથમાં લઈને ઉભી હતી. તેણે ફોટોમાં કેપ્શન લખ્યું હતું કે- વિશ્વાસ છે તમે બંને સાથે હશો.

જ્યારે સુશાંતના કેસની તપાસ સીબીઆઈના હાથમાં સોંપવામાં આવી તો અંકિતાની ખુશીની ઠેકાણું નથી રહ્યું. તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે- જે ક્ષણની રાહ હતી તે આખરે આવી ગઈ છે.

અંકિતા, સુશાંતને ટીવી શો ‘પવિત્ર રિશ્તા’ને દિવસોથી જાણતી હતી. તેમનું કહેવું છે કે સુશાંત ક્યારેય આત્મહત્યા ન કરી શકે, કરિયરના માટે તો ક્યારેય નહીં. મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં અંકિતાએ કહ્યું હતું કે પહેલા દિવસથી જ સુશાંતને ખબર હતી કે ઈન્ડસ્ટ્રીમાં તેણે કેટલીક વસ્તુઓનો સામનો કરવો પડશે.

અંકિતા, સુશાંત સાથે લગભગ 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહી. બંને 2016માં લગ્ન પણ કરવાના છે, પરંતુ કેટલાક કારણથી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

You cannot copy content of this page