મુંબઈઃ વર્ષ 2020 પુરું થાય ત્યાં સુધી દુનિયા પર કહેર વરસાવી રહ્યું છે. બોલિવૂડ માટે આ વર્ષ ખૂબ જ ખરાબ રહ્યું છે. એક તો કોરોનાને લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાન થઈ રહ્યું છે અને ઉપરથી કોઈ કલાકાર પણ બીમારીઓની ઝપેટમાં આવી ચૂકી છે. આ દરમિયાન એક્ટ્રસ કૃતિ ખરબંદાએ ખુલાસો કર્યો છે કે, તેમને મેલેરિયા થઈ ગયો છે.
કૃતિ ખરબંદાએ ખુદ આ વાતની માહિતી તેના ફેન્સને આપી છે. તેમણે પોતાની ઇન્સ્ટા સ્ટોરીનો એક ફોટો શેર કરતાં લખ્યું છે કે, ‘હેલ્લો, આ મારો મેલેરિયાવાળો ચહેરો છે. આ બીમારી વધારે દિવસ સુધી રહેશે નહીં. હું જલદી સ્વસ્થ થઈ જઈશ મારે કામ પર પાછું જવું છે.’
જોકે, આ વચ્ચે સારી વાત એ પણ છે કે, કૃતિની હાલતમાં અત્યારે પહેલાં કરતાં વધારે સુધારો થયો છે. વધુમાં તેમણે માહિતી આપતાં લખ્યું કે, ‘જે લોકો મારા લીધે હેરાન છે તેમને હું કહેવા માગું છું કે, આજે મારા સ્વાસ્થ્યમાં સુધારો છે અને મારી આશા છે કે કાલે આ સારું થઈ ગયું. વર્ષ 2020એ મને ધૈર્ય રાખવા અને ખુદને પ્રેમ કરવાનું શીખવાડ્યું છે.’
કૃતિ ખરબંદા પહેલીવાર તમિલ ફિલ્મ ‘બોની’માં જોવા મળી હતી. આ ફિલ્મ વર્ષ 2009માં સિનેમાઘરમાં રિલીઝ થઈ હતી. ચાર વર્ષ પહેલાં કૃતિએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમણે ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘રાઝઃ રીબૂટ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. હાલમાં જ ખરબંદાલ બીજોય નાબિયારની ફિલ્મ ‘તૈશ’માં પુલકિત સમ્રાટ, જિમ સરભ, હર્ષવર્ધન રાણે અને સંજીદા શેખ સાથે જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ અત્યારે એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેએ પોતાના રિલેશનશિપની વાત પણ સ્વીકારી છે. કૃતિ ઘણીવાર પોતાના ઇન્સ્ટાગ્રામ પર પુલકિતનો ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.