Only Gujarat

Bollywood

USમાં બ્રેઇન ટ્યૂમરને લીધે છેલ્લાં શ્વાસ લેતી હતી પત્ની ને સંજય દત્ત માધુરી દીક્ષિત જોડે કરતો હતો…..

મુંબઈઃ સંજય દત્ત 61 વર્ષના થઈ ગયા છે. સંજય દત્તનો જન્મ 29 જુલાઈ, 1959માં મુંબઈમાં થયો હતો. ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારા સંજય દત્તની લાઇફ ખૂબ જ વિવાદમાં રહી હતી. સંજય દત્તની લગભગ 308 કરતાં વધારે ગર્લફ્રેન્ડ હતી. સંજયની આ ગર્લફ્રેન્ડમાંથી એકનું નામ રિચા શર્મા પણ છે, જે તેમની પહેલી પત્ની બની હતી. સંજય અને રિચાના લગ્ન વર્ષ 1987માં થયા હતા. લગ્નના દોઢ વર્ષ પછી ખબર પડી કે, રિચાને બ્રેઇન ટ્યૂમર છે. રિચાની સારવાર અમેરિકામાં ચાલતી હતી અને સંજય દત્ત ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતાં. સંજય અને માધુરી દીક્ષિતના અફેર પછી લગ્નની વાત ચર્ચામાં હતી. આ વાત રિચાને સુધી પણ પહોંચી હતી. સંજયના લગ્નની વાત સાંભળી ખુદ રિચા તેમની ચાલુ સારવારે મુંબઈ આવી ગઈ હતી.

રિચા જ્યારે તેમની ચાલુ સારવાર દરમિયાન અમેરિકાથી મુંબઈ આવી ત્યારે તેમને સંજય દત્તે કંઈ મહત્ત્વ આપ્યું નહોતું. એટલું જ નહીં, સંજય દત્ત બીમાર પત્ની અને દીકરી ત્રિશાલાને લેવાં એરપોર્ટ પણ નહોતો ગયો. આ વાતનો ઉલ્લેખલ યાસિર ઉસ્માનની બૂક ‘ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી ઑફ બૉલિવૂડ્સ બૅડ બૉય સંજય દત્ત’માં છે. બૂકના ઉલ્લેખમાં રિચાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘‘સંજય અને મારા વચ્ચે બધું ઠીક છે. મને સંજય પર પૂરો વિશ્વાસ છે. મેં સંજયને પૂછ્યું હતું કે, શું તમે મને છૂટાછેડા આપશો. તો સંજયે કહ્યું હતું કે, નહીં.’’

એક ઇન્ટરવ્યૂમાં સંજયે તેમની જવાનીના દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે, ‘‘હું એક સમયમાં ત્રણ રિલેશનશિપ્સ હેન્ડ કરી ચૂક્યો છું અને ક્યારેય પકડાયો નથી. તમારે ખૂબ જ ચતુરતાથી હેન્ડલ કરવાનું હોય છે. પાર્ટનર્સને ખબર ના પડવી જોઈએ કે કોની સાથે શું થઈ રહ્યું છે.’’

સંજય અને ટીના બાળપણના ફ્રેન્ડ હતાં અને તે ફ્રેન્ડશિપ જલદી જ પ્રેમમાં બદલાઈ ગઈ હતી. સંજયની ડેબ્યુ ફિલ્મ ‘રૉકી’ દરમિયાન રિલેશન વધુ મજબૂત થયાં પણ સંજયની દારૂની લતને લીધે ટીનાએ તેને છોડી દીધો અને પોતાના કરતાં મોટા રાજેશ ખન્ના સાથે સંબંધ જોડી લીધો હતો.

રિચા અને સંજયની મુલાકાત એક ફિલ્મના મુહૂર્ત દરમિયાન થઈ હતી. પહેલી મુલાકાત પછી સંજય, રિચાનો દિવાનો થઈ ગયો હતો. વર્ષ 1987માં આવેલી ફિલ્મ ‘આગ હી આગ’ના શૂટિંગ દરમિયાન રિયાને પ્રપોઝ કર્યું હતું. રિચા જાણતી હતી કે, તેમના પેરેન્ટ્સ લગ્ન માટે તૈયાર થશે નહીં. આ દરમિાન સંજયે ન્યૂયોર્ક જઈ રિચાના પેરેન્ટ્સ સાથે મુલાકાત કરી હતી અને વર્ષ 1987માં સંજય અને રિચાએ લગ્ન કર્યા હતાં. લગ્નના એક વર્ષ પછી એટલે કે, 1988માં સંજય અને રિચાની દીકરી ત્રિશાલાનો જન્મ થયો હતો.

90નાં દશકમાં સંજય અને માધુરીનું અફેર બૉલિવૂડમાં હૉટ ટોપિક હતું. સંજય દત્ત અને માધુરી દીક્ષિત વર્ષ 1991માં આવેલી ફિલ્મ ‘સાજન’ દરમિયાન એકબીજાની નજીક આ્યા હતાં. સંજય અને માધુરી એકબીજાને ખૂબ જ પસંદ કરતાં હતા અને લગ્ન કરવાનું વિચારી રહ્યાં હતાં. ત્યારે સંજય દત્ત મુંબઈ બ્લાસ્ટ કેસમાં ફસાઈ ગયો અને 1993માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેને લીધે માધુરી દીક્ષિત સંજય દત્તથી અલગ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, સંજય દત્ત સાથે બ્રેકઅપ પછી માધુરીએ અમેરિકામાં ડૉક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધાં હતાં.

મુંબઈ બ્લાસ્ટ કેસમાં લાંબી કાયદાકીય લડાઇ પછી સંજય દત્તને થોડી રાહત મળી ત્યારે માધુરી તેમનાથી દૂર જતી રહી હતી. એવામાં સંજય દત્તની લાઇફમાં સોશિયલાઇટ રિયા પિલ્લઈ આવી હતી. બંનેએ વર્ષ 1998માં લગ્ન કર્યા પણ, લગ્ન ટક્યા નહીં અને બંનેએ વર્ષ 2005માં છૂટાછેડા લીધા હતાં. ઉલ્લેખનીય છે કે, લગ્ન કર્યાં પછી બંનેના એક્ટ્રા મેરિટલ અફેર ચાલતા હતાં.

રિયા સાથે લગ્ન કર્યાં પછી સંજય દત્તનું નાડિયા દુર્રાની સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર થઈ ગયું હતું. કોઈ જાણતું નથી કે, બંને કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા. રિયાને સંજય અને નાડિયાના અફરેની જાણ થઈ ગઈ હતી. વાત વધુ ત્યારે બગડી જ્યારે નાડિયા સંજયની ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર જોવા મળતી હતી. આ કારણે રિયા સાથે તેમનો સંબંધ તૂટી ગયો, પણ આ પછી સંજય દત્ત અને નાડિયાનો સંબંધ પણ વધુ ટક્યો નહોતો અને બંને એકબીજાતી અલગ થઈ ગયા હતાં.

કહેવામાં આવે છે કે, નાડિયા સાથે રિલેશનશિપ દરમિયાન સંજય માન્યતા તરફ આકર્ષિત થયો હતો. એવામાં જ્યારે નાડિયા સાથે સંબંધ તૂટ્યો ત્યારે માન્યતાની નજીક આવ્યો હતો. બે વર્ષ રિલેશનમાં રહ્યાં પછી સંજય દત્ત અને માન્યતાએ 7 ફેબ્રુઆરી, 2008માં લગ્ન કર્યાં હતાં. આ પછી 21 ઓક્ટોબર, 2010એ કપલને જુડવા બાળકો શાહરાન અને ઇકરાને જન્મ થયો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page