અભિનેતા શેખર સુમન સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ પટનામાં તેમના ઘરે પહોંચ્યો હતો. જ્યાં તે સુશાંતના પરિવારને મળ્યો હતો અને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. શેખર સુમન સતત આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો છે. પરિવારને મળ્યા બાદ પટણામાં મીડિયા સાથે વાત કરતા તેમણે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.
શેખર સુમનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. મીડિયા સાથે વાત કરતા શેખર કહે છે કે, ત્યાં કોઈ સુસાઇડ નોટ નહોતી. જો ત્યાં કોઈ સ્યુસાઇડ નોટ હોત, તો તે એક ઓપન અને શટ કેસ બની ગયો હોત. આ કેસ તે જ સમયે સમાપ્ત થઈ ગયો હોત. હવે જ્યારે સ્યુસાઇડ નોટ નથી ત્યારે અનેક પ્રકારના સવાલો ઉભા થાય છે.
શેખરે વધુમાં ઉમેર્યું હતું કે ‘એક છોકરો રાત્રે પાર્ટી કરી રહ્યો હોત, સવારે ઉઠ્યા બાદ પ્લે સ્ટેશન પર હતો, જે એક ગ્લાસ જ્યૂસ માંગે છે, આવીને બેસે છે, તેના મનમાં એવી અચાનક કંઈ વાત આવીકે, તેણે કહ્યું, ચલો હવે આપઘાત કરીએ.આ વાત પચી શકી નથી. સીસીટીવી કેમેરામાં ચેડાં. તેણે ગયા મહિને લગભગ 50 સીમકાર્ડ બદલાયા હતા. આખરે તેણે શા માટે સિમકાર્ડ બદલ્યા?
જ્યારે તે કોઈને અવોઈડ કરવાનો પ્રયત્ન કરતો હોય, કોઈથી બચવાનો પ્રયત્ન કરતો હોય, જ્યારે કોઈને ધમકી આપવાના પ્રયાસો ચાલી રહ્યા હોય, જ્યારે કોઈ ડરતું હોય છે ત્યારે સીમકાર્ડ બદલી શકે છે. ‘
શેખર કહે છે કે, ‘ જે ઉંચાઈ જણાવવામાં આવી છે તે એટલી નીચી છે, કારણકે, મુંબઈમાં જે છત હોય છે તે એટલી ઉપર હોતી નથી, તો પછી પોતાના પલંગ ઉપર ચડીને, તેની (સુશાંત)ની હાઈટ જ છ ફૂટ હતી, તો જગ્યા જ નથી બચતી કે તમે લટકી શકો. તો પછી પહેલાં કોઈ કપડાંથી પછી બાથરોબથી, પછી ઝભ્ભાથી લટક્યો એવી વાત સામે આવી રહી છે.’
શેખરે વધુમાં કહ્યું કે, ‘એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો બહાર આવ્યો છે કે, ગળા પર લાલ નિશાન છે, તે જો કુર્તાથી કરવામાં આવે, તો તે ગાઢ હોવું જોઈએ.
તે દોરડાના નિશાન જેવા લાગે છે અને જ્યારે પણ કોઈ આત્મહત્યા કરે છે, ત્યારે તેમાં વીનું નિશાન હોવું જોઈએ કારણ કે દોરડું ઉપરની તરફ છે. હું ફોરેન્સિક નિષ્ણાત નથી, કે ના તો હું સીબીઆઈ વતી બોલી રહ્યો છું. હું એ જ પ્રશ્ન કહી રહ્યો છું જે હાલનાં દિવસોમાં દરેકના મગજમાં છે.’