મુંબઈઃ કરીના કપૂર થોડાં દિવસ પહેલાં તેની બીજી પ્રેગ્નન્સિની જાહેરાત કરી છે. જે પછી બેબોના ફેન્સ તે અંગે વધુ વાત જાણવા વધારે ઉત્સુક છે. કરીના-સૈફે એક નિવેદન જાહેર કરી કહ્યું હતું કે, ‘અમને આ જાણકારી આપતા ખુશી થઈ રહી છે કે, અમે અમારા પરિવાર માટે નવી ખુશીની આશા રાખી રહ્યાં છીએ. અમારા દરેક શુભચિંતકોના પ્રેમ અને સમર્થન માટે આભાર.’ હાલમાં જ કરીનાના પિતા રણધીર કપૂરે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે, કરીના એક દીકરો એક્સેપ્ટ કરી રહી છે કે દીકરી?
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં રણધીર કપૂરને પૂછવામાં આવ્યું કે, તેમની દીકરી કરીના બીજા બાળકના રૂપમાં દીકરો ઇચ્છે છે કે દીકરી? જેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘કોઈ પ્રાથમિકતા નથી, દીકરી હોય કે દીકરો’
તેમણે કહ્યું, ‘અમે માત્ર એક સ્વસ્થ બાળક ઇચ્છીએ છીએ અને હું તમને જણાવી દવ કે કપૂર પરિવાર આ માટે ખૂબ જ એક્સાઇટેડ છે.’
કરીનાના પિતાએ સોશિયલ મીડિયા પર આવવાનો પણ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, ‘આ નિર્ણય મારી દીકરી કરીના અને કરિશ્માનો નિર્ણય હતો.’
રણધીર કપૂરે વધુમાં જણાવ્યું કે, ‘કરિશ્મા અને કરીના કહી રહી છે કે મારે શીખવું જોઈએ કે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ કેવી રીતે હેન્ડલ કરવું, પણ હું ટેક્નોસેવી નથી. હું કંઈ જાણતો નથી. જ્યારે પણ હું પોસ્ટ કરવા માગુ ત્યારે મને લાગે છે કે કરિશ્મા અને કરીનાના કેટલાક ફોટો શોર્ટલિસ્ટ કરી બંનેને જણાવી પોસ્ટ કરું કે નહીં?
થોડા દિવસ પહેલાં રણધીર કપૂરે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘હું ખુશ છું, પણ હું તો કરીનાને ઘણાં સમયથી કહેતો હતો કે તૈમૂરને કોઈ ભાઈ અથવા બહેનની જરૂર છે જે સાથે રમી શકે.’
કદાચ ઓછા લોકો જાણતાં હશે કે, જ્યારે કરીના-કરિશ્મા નાના હતાં ત્યારે તેમના માતા-પિતા અલગ થઈ ગયાં હતાં. જોકે, તેણે અત્યાર સુધી છૂટાછેડા લીધાં નથી.
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કરીનાએ તેમની પહેલી પ્રેગ્નન્સિ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘તૈમૂરના સમયે જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે મને ખૂબ જ ખાવાની ઇચ્છા થતી હતી. જેને લીધે મારું 25 કિલો વજન વધી ગયું હતું. હું ફરી આવું કરવા માગતી નથી. મારે બસ હેલ્થી ખાવાનું અને ફીટ રહેવું છે.
તેમણે જણાવ્યું કે, ‘મને લાગે છે કે પહેલી પ્રેગ્નન્સિ દરમિયાન બધા કહેતાં હતાં કે પરાઠા ખાવ, ઘી પીવો, દૂધ પીવો, પણ હવે હું કહું છું કે, મેં આવું કર્યું છે. હું જાણું છું કે મારા બોડીને શેની જરૂર છે. કરીનાએ આગળ વધુમાં કહ્યું કે, ‘મારા ડૉક્ટરનું કહેવું છે કે, તમે બે લોકોનું ખાવાનું ના ખાશો બસ સારું ખાવ અને પોતાનું ધ્યાન રાખો.’
કરીના કપૂર આવતાં વર્ષે 2021માં તેના બીજા બાળકને જન્મ આપશે. આમ તો કરીના-સૈફ દીકરો કે દીકરીના પેરેન્ટ્સ બને છે તે સમય આવ્યે ખબર પડશે, પણ બેંગલુરુના જ્યોતિષ પંડિત જગન્નાથ ગુરુજીએ કરીના-સૈફના ઘરે આવનારા ચોથા મહેમાન અંગે ખુલાસો કર્યો છે.
પંડિતજીએ કહ્યું છે કે, ‘જ્યોતિષ ગણના અને તેમના ચહેરાને જોયા પછી ભવિષ્યવાણી કરું છું કે, આ કપલ દીકરીનું સ્વાગત કરશે.‘ પંડીતજી મુજબ, સૈફ-કરીનાને માતા-પિતા કહેનારી એક દીકરી આવશે.
ઉલ્લેખનીય છે કે, આમિર ખાનની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ના શૂટિંગ આ મહિનાના અંતમાં દિલ્હીમાં શરૂ થશે. ફિલ્મમાં કરીના કપૂર લીડ રોલ પ્લે કરી રહી છે.