Only Gujarat

Bollywood TOP STORIES

આ જાણીતી એક્ટ્રેસના ઘરે છવાયો માતમનો માહોલ, કોવિડ 19ને લઈ લીધો જીવ

કોરોના વાયરસથી લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેની બરબાદી બંધ થવાનું નામ લઈ રહી. આ વાયરસથી ઘણા પરિવારો ખતમ થઈ ગયા છે. તાજેતરમાં જ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી દિવ્યા અગ્રવાલના પિતાએ પણ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સમાચાર મુજબ તેમને આ વાયરસનો ચેપ પણ લાગ્યો હતો.

દિવ્યા અગ્રવાલે આપી જાણકારી
દિવ્યાએ આ માહિતી પોતાના ચાહકો સાથે શેર કરી છે. તેણે તેના પિતા સાથે એક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું કે, ‘તમે હંમેશા મારી સાથે છો. હું તને ખૂબ પ્રેમ કરું છું પરમાત્મા તમારા આત્માને શાંતિ આપે.

પિતા માટે પ્રાર્થનાઓ માગી હતી
પિતાને કોરોનાનો ચેપ લાગ્યાં બાદ દિવ્યાએ તેના સ્વાસ્થ્યને લગતી દરેક માહિતી શેર કરી હતી. મંગળવારે જ તેણે તેના પિતા માટે એક ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું, કૃપા કરો નાનક દેવ જી, હું બધાને વિનંતી કરું છુકે, સાંજે પાંચ વાગ્યે મારા પિતા માટે દિલથી પ્રાર્થના કરો. પ્રાર્થનાનો એક સાથે અવાજ જરૂર તેમના કામ આવશે. મને ખબર નથીકે, તેમા કેટલો વિશ્વાસ છે. હું માત્ર જાણું છું કે ભગવાન છે. ભગવાનને પ્રાર્થના કરો. મેં બને તે બધું કરવાનો પ્રયત્ન કર્યો છે. અને હું મારો પ્રયત્ન ચાલુ રાખીશ.

માતા અને ભાઈ પણ કોરોનાનો ભોગ બન્યા હતા
જણાવી દઈએ કે દિવ્યાના પિતા જ નહીં, પરંતુ તેની માતા અને ભાઇ પણ કોરોના પીડિત હતા, જોકે તેઓ સાજા થયા હતા, પરંતુ તેના પિતાની તબિયત વધુ બગડતી ગઈ હતી.

સ્ટાર્સે દુખ વ્યક્ત કર્યુ
દિવ્યા અગ્રવાલનાં પિતાના નિધન બાદ સ્ટાર્સ શોક વ્યક્ત કરી રહ્યા છે. અને દિવ્યાને આ દુખ સહન કરવાની હિંમત પણ આપી રહ્યા છે.

You cannot copy content of this page