આ કારણે આલિયા-રણબીરના લગ્નમાં આવી રહી છે અડચણો, એક્ટ્રેસની કુંડળીમાં છે એક સમસ્યા…
મુંબઈઃ બોલિવૂડ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લાંબા સમયથી રિલેશનશિપમાં છે. બંનેના લગ્નના સમાચાર ઘણીવાર સામે આવે છે. કેટલાક દિવસો પહેલા ચર્ચા હતી કે આલિયા અને રણબીર આ વર્ષના અંતમાં લગ્ન કરી લેશે. થોડાંક મહિના પહેલાં એક એસ્ટ્રોલોજરે આલિયાની કુંડળી જોઈ લગ્નમાં આવતી મુશ્કેલી વિશે જણાવ્યું હતું.
વૈદિક જ્યોતિષાચાર્ય આચાર્ય વિનોદ કુમાર મુજબ, આલિયા અને રણબીરની કુંડળી કહે છે કે, તેમના લગ્ન ઓક્ટોબર, 2019થી 2020ના અંત સુધી થવાની પ્રબળ સંભાવના છે.
શુક્ર ગ્રહ પ્રેમ તરફ ઈશારો કરે છે અને બંનેની કુંડળીમાં તે સકારાત્મક છે. જોકે, આલિયા ભટ્ટની કુંડલીમાં એક સમસ્યા છે તે મુજબ, કોઈ ભ્રમ અથવા શંકા ઊભી થઈ શકે છે, જેને લીધે લગ્નમાં વિલંબ થઈ શકે છે.
આચાર્ય વિનોદ કુમાર મુજબ, ‘મને વિશ્વાસ છે કે બંને પરિવાર પોતાના સંબંધિત જ્યોતિષાચાર્ય સાથે વાતચીત કરી આ સમસ્યા પર સમાધાન પર કામ કરશે. કપલ આ સમસ્યાનું સમાધાન કરી લે તો તેમના કરિયરના વિકાસમાં ખૂબ જ પોઝિટિવ સાબિત થશે, સાથે જ આવનારા વર્ષોમાં બંને આ રીતે જ સફળતા હાંસલ કરશે.
ઉલ્લેખનીય છે કે, રણબીર અને આલિયા વચ્ચે ઘણીવાર ઝઘડા થયા છે. બંને એકબીજાને સમજવામાં સમય આપી રહ્યા હોવાને લીધે બંનેના લગ્નમાં મોડું થઈ રહ્યું હશે તેવું કહી શકે.
થોડાં દિવસો પહેલાં સમમાચાર સામે આવ્યા હતાં કે, આલિયા-રણબીર આ વર્ષે ડિસેમ્બરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે. જોકે, રિપોર્ટ મુજબ, તેમના લગ્ન તો ડિસેમ્બરમાં જ થશે પણ કપલ ક્યાંય બહાર નહીં પણ, મુંબઈમાં જ લગ્નના બંધનમાં જોડાશે.
રિપોર્ટ્સ મુજબ, લગ્નના ફંક્શન 21 ડિસેમ્બરથી શરૂ થશે અને આગલા 4 દિવસો સુધી ચાલશે. આ વર્ષના અંતમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના રીલિઝ થાય પછી બંને લગ્ન કરશે.
આમ તો આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઘણીવાર સાથે જોવા મળે છે. ગયાં વર્ષે ડિસેમ્બરમાં કરીના કપૂર ખાનની ક્રિસમસ પાર્ટીના કેટલાક ફોટો સામે આવ્યા હતા, જેમાં રણબીર અને આલિયા પણ એકસાથે જોવાં મળ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, આલિયા-રણબીર મે, 2018માં સોનમ કપૂરના લગ્નમાં સાથે આવ્યા હતાં. અહીંથી જ બંનેના અફેરના સમચાર સામે આવ્યા હતાં.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર અને આલિયા પહેલીવાર એક સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવાં મળશે. ડિરેક્ટર અયાન મુખર્જીની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રૉય અને ડિમ્પલ કપાડિયા પણ લીડ રોલમાં છે.