‘બાલિકા વધૂ’ની આનંદીએ ઉતાર્યું 13 કિલો વજન, હાથ-પગ પર જામી ગયા હતા ચરબીના થર ને પેટ આવી ગયું હતું બહાર
ટીવીની લોકપ્રિય સિરિયલ ‘બાલિકા વધુ’ ફેમ અભિનેત્રી અવિકા ગોર એટલે કે આનંદીસિંહે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. પરંતુ, હવે તે તેની અદભૂત ફેશન સેન્સ અને ફિગરને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ અવિકાએ ઇંસ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે. આમાં તેને ઓળખવી મુશ્કેલ છે. અભિનેત્રીએ કહ્યું કે, એક સમયે તે અરીસામાં પોતાને જોઈને રડવાનું શરૂ કરી દેતી હતી. અવિકાએ જણાવ્યું કે, કેવી રીતે તેણે 13 કિલો વજન ઘટાડ્યુ …
અવિકા ગોરના ચાહકો તેને આનંદીથી ઓળખે છે અને પસંદ કરે છે. ‘બાલિકા વધુ’માં દેખાતી આનંદી એટલે કે અવિકા ગોરે નાની ઉંમરે મોટી સફળતા મેળવી હતી, જેના માટે કલાકારોએ વર્ષો સુધી સખત મહેનત કરવી પડે છે. ટેલિવિઝનની દુનિયામાં નાની ઉંમરે ઉંચાઈએ પહોંચેલી અવિકા ગોરે અંગત જીવનમાં પોતાના વજન ઘટાડવાની આખી કહાની સંભળાવી છે. અભિનેત્રીએ તેનું 13 કિલો વજન ઓછું કર્યું છે, પરંતુ તેણે તેની પાછળ સ્ટ્રેસની કહાની કહી છે.
અવિકાએ એક ઇન્ટરવ્યુમાં વજન ઘટાડવાની કહાનીમાં કહ્યું હતું કે, અવિકા લગભગ એક વર્ષ પહેલા તેના વજનથી પરેશાન હતી. આ સ્ટોરી ઇન્સ્ટાગ્રામ પર લખતી વખતે ‘આનંદી’ એ કહ્યું કે તે યાદ કરે છે, લગભગ એક વર્ષ પહેલા, એક રાતે તે પોતાને અરીસામાં જોઇને રડતી હતી. તે જેવી પણ દેખાતી હતી, તેને પસંદ ન હતી.
અવિકાએ કહ્યું કે ‘જાડા હાથ, પગ અને મોટું પેટ. તેણે ઘણું નજરઅંદાજ કર્યુ હતુ. તેને એક બીમારી (Thyroid,PCOD) ને કારણે થયુ હોત તો ચાલતું, કારણ કે તે પછી તે તેના નિયંત્રણની બહાર થઈ ગયુ હોત, પરંતુ તે એટલા માટે હતું કે, તેણે કોઈ પણ સમયે ગમે તે ખાઈ લીધુ હતુ.
અવિકાએ કહ્યું કે ‘જાડા હાથ, પગ અને મોટું પેટ. તેણે ઘણું નજરઅંદાજ કર્યુ હતુ. તેને એક બીમારી (Thyroid,PCOD) ને કારણે થયુ હોત તો ચાલતું, કારણ કે તે પછી તે તેના નિયંત્રણની બહાર થઈ ગયુ હોત, પરંતુ તે એટલા માટે હતું કે, તેણે કોઈ પણ સમયે ગમે તે ખાઈ લીધુ હતુ.
આ બધી વાતો જણાવતી વખતે અવિકાએ કહ્યું કે, તે પોતાને જજ કરતી રહેતી અને પોતાનામાં જ ખરાબ ફીલ કરતી હતી. તેણે કહ્યું કે તે બહારના લોકોને કંઈ પણ કહેવાની તક છોડતી ન હતી.
અભિનેત્રીએ કહ્યું હતું કે ‘દરેક સમયે તેના મગજમાં ઈનસિક્યોરિટી ચાલતી હતી અને આવી વાતો તેને થકાઉ અને ઈરિટેટ કરતી હતી. આ કારણોને લીધે, તેણી તેના ચાહકો ઉપર પણ ભડકતી હતી. ‘અવિકાએ કહ્યું કે’આખરે એક દિવસ એવો આવી ગયો, જ્યારે તેણે પોતાના માટે આ બધામાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું. રાતોરાત કંઈ બદલાયું નહીં. અભિનેત્રીએ યોગ્ય વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે, આ એવી વસ્તુઓ છે જેના પર તેને ગર્વ થશે, જેમ કે, ડાન્સ કરવો.
અભિનેત્રીએ કહ્યું હતું કે ‘દરેક સમયે તેના મગજમાં ઈનસિક્યોરિટી ચાલતી હતી અને આવી વાતો તેને થકાઉ અને ઈરિટેટ કરતી હતી. આ કારણોને લીધે, તેણી તેના ચાહકો ઉપર પણ ભડકતી હતી. ‘અવિકાએ કહ્યું કે’આખરે એક દિવસ એવો આવી ગયો, જ્યારે તેણે પોતાના માટે આ બધામાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું. રાતોરાત કંઈ બદલાયું નહીં. અભિનેત્રીએ યોગ્ય વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે, આ એવી વસ્તુઓ છે જેના પર તેને ગર્વ થશે, જેમ કે, ડાન્સ કરવો.
અભિનેત્રીએ કહ્યું કે, તેણે સવારે પોતાને અરીસામાં જોઈ,તો તેને નજર ફેરવવાની જરૂર લાગી ન હતી. તેણે પોતાની જાતને જોઈને સ્માઈલ આપીને કહ્યુકે, હું સુંદર છું… અને તમે આ જે પણ વાંચી રહ્યા છો, તે પણ સુંદર છે.’
અવિકાએ કહ્યું કે આપણે જે કરી શકતા નથી તેના વિશે દુખ અનુભવવાને બદલે આપણે તેના પર કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ‘આપણે જે કાબૂમાં છે તે કરવું જ જોઈએ. ‘અવિકાએ અંતે કહ્યું કે તે આજે પોતાની ત્વચાને લઈને કંમ્ફર્ટેબલ છે. આજે તેને રાહત છે.’