Only Gujarat

FEATURED National

પત્નીએ વાસનામાં અંધ બનીને પતિ-માસૂમ પુત્ર સાથે જે કર્યું તે જોઈ નફરત કરવા લાગશો એ નક્કી!

આજે અમે તમને એક એવી સત્ય ઘટન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે ચોંકી જશો. એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિ અને એકમાત્ર પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બંને આરોપીઓને શનિવારે આજીવન કેદની સજા ફટકારી હતી.

આ બની હતી ઘટના
જાન્યુઆરી, 2016ના રોજ શાહપુરના બશારતપુરમાં રહેતી અર્ચનાના પતિ ડો ઓમપ્રકાશ અને તેના પુત્રની હત્યા ઘર પર કરવામાં આવી હતી. પોલીસે ઓમપ્રકાશની માતા બાગેશ્વરી દેવીની ફરિયાદ પર હત્યાના ગુનાનો મામલો નોંધ્યો હતો અને અર્ચના અને તેના બોયફ્રેન્ડ ફિરોઝાબાદના રહેવાસી અજય યાદવની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે અર્ચનાએ ફેસબુક દ્વારા અજય સાથે દોસ્તી થઈ હતી. જ્યારે અર્ચના લખનૌમાં તેના પિયર જતી હતી ત્યારે બંને છુપાઈને મળતા હતા.

પતિને શંકા થયા બાદ ઘટનાની રાત્રે અજય ત્યાં પહોંચ્યો હતો. અર્ચનાએ દરવાજો ખોલ્યો, તો અજય ઘરની અંદર પ્રવેશ કર્યો. સાથે મળીને બંનેએ ઘરમાં સૂઈ રહેલાં ઓમપ્રકાશની હથોડી મારીને હત્યા કરી હતી. આ સમય દરમિયાન પુત્ર નીતિન જાગ્યો. તે માતાના ખોળામાં આવી ગયો હતો.

પરંતુ અર્ચનાએ તેની ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદથી બંને જેલમાં હતા. તેઓની જામીન પણ થઈ ન હતી. એડિશનલ સેશન્સ જજ જ્ઞાનપ્રકાશ શુક્લાએ બંનેને આજીવન કેદની સજા ફટકારી હતી અને પુરાવાના આધારે દંડ પણ કર્યો હતો. દંડ ન ભરવા બદલ છ મહિનાની વધારાની પેનલ્ટી પણ આપવામાં આવી છે.

પસ્તાવો નહીં, જેલમાં પણ એકબીજાને મળવાની અરજી કરતા રહ્યા
આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યા પછી પણ અર્ચના અને અજયને કોઈ અફસોસ નહોતો. બંનેએ જેલમાં એકબીજાને મળવા માટે ઘણી વખત અરજી પણ કરી હતી, પરંતુ બંને વચ્ચે કોઈ સંબંધ ન હોવાને કારણે કાયદા દ્વારા કદી મંજૂરી નહોતી મળી.

અંધ પ્રેમમાં ખૂની બનેલા, એક બીજાના પણ ન થઈ શક્યા
અર્ચના અને અજય જે જુઠ્ઠા પ્રેમમાં પડીને હત્યારા પણ બની ગયા હતા. તેઓ હવે ક્યારેય પણ પુરો થઈ શકશે નહી. આ ઘટનાના ચાર વર્ષ બાદ જેલમાં હોવાને કારણે બંને ક્યારેય મળી શક્યા નહીં. તો, હવે તેમની આખી જીંદગી પણ જેલમાં પસાર કરવી પડશે. કાયદો બંનેને મળવા પણ દેતો નથી કારણ કે સંબંધ નથી.

You cannot copy content of this page