મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ તેમછતાં બોલિવૂડમાં તેની આત્મહત્યાના અંગે આઘાત જોવા મળી રહ્યો છે. ફિલ્મ એમએસ ધોનીમાં તેની ઑનસ્ક્રીન બહેન રહી ચૂકેલી એક્ટ્રેસ ભૂમિકા ચાવલા પણ તેને ભૂલી શકી નથી. ભૂમિકાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ થકી સુશાંતને યાદ કર્યો. ભૂમિકાએ પોતાની પોસ્ટમાં સુશાંતના નિધન અંગે થઈ રહેલી વિવિધ પ્રકારની અટકળો પર પૂર્ણવિરામ મૂકવાની વાત કહી હતી.
ભૂમિકાએ લખ્યું,‘ડિયર સુશાંત, તુ જ્યાં પણ હોય ભગવાનની શરણમાં હોઈશ. તને ગયાને એક અઠવાડિયું વિતી ગયું. તુ કેમ બધાથી દૂર જતો રહ્યો તેનું રહસ્ય પણ તારી સાથે જ જતું રહ્યું. તારા દિલ અને દિમાગની અંદર જ રહી ગયું તે કારણ. સુશાંતના અચાનક નિધનથી દુ:ખી લોકોને માત્ર એટલું કહીશ કે તમે પ્રાર્થના કરો અને પોતાની આસપાસના લોકોનું ધ્યાન રાખો. આ મામલે ઘણા પ્રકારની અટકળો થઈ રહી છે, આવું કેમ થયું? આ મુદ્દે ઘણો કાદવ ઉછાડવામાં આવી રહ્યું છે. લોકોમાં ઘણો રોષ પણ છે. ’
ભૂમિકાએ આગળ લખ્યું કે,‘આ ઘટના પાછળ કોણ દોષી છે? રિલેશનશિપના કારણે આમ થયું? એવા તમામ પ્રકારના સવાલો છે જેનો જવાબ નથી મળ્યો. આપણે સુશાંતની આત્માને માન આપી આગળ વધવું જોઈએ. આ સમય એકબીજાનું ધ્યાન રાખવામાં પસાર કર્યો, જે લોકોને શિક્ષણની જરૂર છે તેમને ભણાવો. પોતાની અને આસપાસના લોકો માટે પ્રાર્થના કરો.’
ઉલ્લેખનીય છે કે, મોતના બીજા દિવસે 15 જૂને ભૂમિકાએ લખ્યું હતું કે,‘આશા છે કે તારી મુલાકાત પોતાની માતા સાથે થઈ ગઈ હશે. આ આઘાતજનક ઘટના છે. તે પોતાના મિત્રો અને પરિવારજનો સાથે વાત કરી હોત તો. તેઓ તારા મૌનને સમજી શક્યા હોત તો. ભગવાન તારા પરિવારને આ દુ:ખનો સામનો કરવાની શક્તિ આપે.’