મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યા 4.66 લાખ થઈ ગઈ છે. એવામાં કેન્દ્ર સરકાર દ્વારા અનલોક – 4ની લાગૂ કરવામાં આવ્યું છે. જેમાં મોટાભાગની છૂટછાટ આપવામાં આવી છે. સેલેબ્સ પણ તેમના કામથી ઘરની બહાર નીકળી રહ્યાં છે. આ દરમિયાન સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યાં છે. એવામાં અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર સાથે જોડાયેલાં કેટલાક ડાર્ક સિક્રેટ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે. મહત્ત્વનું છે કે, બચ્ચન પરિવારે આ ડાર્ક સિક્રેટ હંમેશા છુપાવીને રાખે છે.
અમિતાભ અને તેમના બચ્ચન પરિવાર દરેકનો ફેવરિટ પરિવાર છે. ખાસ તો, બચ્ચન પરિવારમાં એકબીજાનું બોન્ડિંગ જોવા મળે છે. તે દરેક લોકોને પસંદ છે, પણ તેમના આ બોન્ડિંગ સાથે એક સત્ય એવું પણ છે કે દરેક પરિવારની જેમ બચ્ચન પરિવારમાં પણ કેટલાક ડાર્ક સિક્રેટ છે. પણ તેમની સોશિયલ ઇમેજને લીધે તે કોન્શિયસ છે. એટલે પરિવાર સાથે જોડાયેલી કોઈ પણ નેગેટિવ વાતો સામે આવવા દેતાં નથી.
ઘણાં ઓછા લોકો આ વાત જાણે છે કે, અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચનના ડિવોર્સ થઈ ગયાં છે. છેલ્લાં ઘણાં વર્ષોથી શ્વેતા તેમના માતા-પિતા સાથે રહે છે. જ્યારે પણ અમિતાભ બચ્ચનના પરિવારના ફોટો સામે આવે છે તો શ્વેતા તે ફેમિલી ફોટોમાં જોવા મળે છે. લૉકડાઉન દરમિયાન અને આ ઉપરાંત શ્વેતા ઘણીવાર મુંબઈના રોડ પર જોવા મળી છે.
એટલું જ નહીં શ્વેતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની દીકરી, દીકરો, ભાઈ-ભાભી સાથે અમિતાભ બચ્ચન અને મા જયા બચ્ચનના ફોટો જોવા મળે છે, પણ આ ફોટોમાં તેમના પતિ નિખિલ નંદા ક્યારેય પણ જોવા મળતાં નથી. મળતી માહિતી પ્રમાણે બંનેના છૂટાછેડા થઈ ગયા છે, પણ બચ્ચન પરિવારે આ વાત છુપાવીને રાખી છે. કેમ કે, તેમને લાગે છે કે, છૂટાછેડાની વાતને લીધે બચ્ચન પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે.
શ્વેતા બચ્ચનના લગ્ન ખૂબ જ નાની ઉંમરમાં નિખિલ નંદા સાથે વર્ષ 1997માં થયા હતા અને તેમને એક દીકરી નાવ્યા નવેલી નંદા અને દીકરો અગસ્ત્ય નંદા છે. શ્વેતાનો સંબંધ નિખિલ નંદા સાથે વધારે સમય ચાલ્યો નહીં અને બંનેએ છૂટાછેડાનો નિર્ણય લઈ લીધો.
મા જયા અને દીકરી શ્વેતા જ્યારે પણ પબ્લિક ઇવેન્ટમાં જાય છે ત્યારે બંનેના ચહેરા પર મા-દીકરીનો પ્રેમ અને સ્મિત જોવા મળે છે. તેમના ફોટો જોઈને લાગે છે કે, બંને એકબીજાની ખૂબ જ નજીક છે, પણ આ વાત સાચી નથી. શ્વેતાના લગ્ન 21 વર્ષની ઉંમરે થયા હતાં અને મળતી માહિતી મુજબ જયાને દબાવને લીધે શ્વેતાએ જલદી લગ્ન કરવા પડ્યા હતાં, પણ શ્વેતાના લગ્ન વધારે રહ્યાં નહીં. સૂત્રો મુજબ, શ્વેતા આજે પણ તેમના છૂટાછેડાનું કારણ તેમની માને ગણે છે.
અમિતાભ બચ્ચન હિન્દી સિનેમાના મહાનાયક કહેવાય છે અને તેમણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે, પણ આ છતાં તેમણે બી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કરવું પડ્યું હતું. રિપોર્ટ મુજબ, આ બી ગ્રેડ ફિલ્મ કરવાનું કારણ અમિતાભ બચ્ચનનું ફાઇનાન્શિયલ હાલત હતી. તે સમયે વૈન્કરપ્ટ પણ થઈ ગયાં હતા.
શ્વેતા બચ્ચનની તેમની ભાભી ઐશ્વર્યા સાથે પણ ખાસ બોન્ડિંગ નથી. મળતી માહિતી મુજબ બંને વચ્ચે એટલી વધારે દૂરી છે કે, બંને એકબીજા સાથે વાત પણ કરતાં નથી. પબ્લિક અપેરિયન્સ અથવા કોઈ ઇવેન્ટમાં પણ બંને સાથે હોય તો બંને વચ્ચે તણાવ અને દૂરી સ્પષ્ટ જોઈ શકાય છે.
કહેવામાં આવે છે કે શ્વેતા ઇચ્છતી હતી કે, તેમના ભાઈ અભિષેક બચ્ચનના લગ્ન કરિશ્મા કપૂર સાથે થાય. શ્વેતા અને કરિશ્મા ખૂબ જ સારા ફ્રેન્ડ છે. એટલે શ્વેતા ઇચ્છતી હતી કે, કરિશ્મા તેમની ભાભી બને.
રિપોર્ટ મુજબ, જયા બચ્ચન માટે વહુના રૂપમાં ઐશ્વર્યા રાય પહેલી પસંદ નહોતી. તે અભિષેકના લગ્ન રાણી મુખર્જી સાથે કરાવવા માગતી હતી. ઐશ્વર્યાની પોપ્યુલારિટી વધારે હોવાથી તેમની ચોઈસ નહોતી.
અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નંદા તેના બોયફ્રેન્ડને લીધે ચર્ચામાં રહે છે. શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન સાથે તેમની રિલેશનશિપ ખૂબ જ ચર્ચામાં આવી હતી જ્યારે બંનેનો એક MMS લિક થયો હતો.
આ ઉપરાંત નવ્યાનું નામ જાવેદ જાફરીના દીકરા મિજાન જાફરી સાથે પણ જોડાઈ ચૂક્યું છે.