અમદાવાદઃ દુનિયામાં દરેક વસ્તુ ઊર્જા સાથે જોડાયેલી હોય છે અને આપણી આસપાસની ઊર્જાની અસર આપણા જીવન પર પણ પડે છે. વાસ્તુશાસ્ત્રમાં અનેક એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે, જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને સુખ-સમૃદ્ધિ અને શાંતિ કાયમ રહે છે. વાસ્તુમાં દરેક છોડનું પોતાનું મહત્વ હોય છે. કેટલાક છોડ ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરે છે, તો કેટલાક એવા હોય છે, જેને લગાવવાથી ઘરમાં ધનની કમી નથી રહેલી. મોટાભાગના લોકો ધન માટે મની પ્લાન્ટ વિશે જ જાણે છે પરંતુ વાસ્તુમાં ધનની પ્રાપ્તિ માટે વધુ એક છોડ વિશે જણાવવામાં આવ્યું છે જેને ક્રાસુલા કહે છે.
જેનું આખું નામ ક્રાસુલા ઓવાટા છે, તેને જેડ ટ્રી, ફ્રેંડશિપ ટ્રી, લકી ટ્રી અને મની ટ્રીના નામથી પણ ઓળખવામાં આવે છે. વાસ્તુમાં ક્રાસુલાના છોડને ધનની પ્રાપ્તિનો છોડ પણ કહેવામાં આવે છે. આ છોડને લગાવવાની એક સાચી દિશા હોય છે કારણ કે ખોટી દિશામાં લગાવવામાં આવેલા છોડથી લાભના બદલે હાનિ થાય છે.
ક્રાસુલાના પાંદડા મોટા હોય છે પરંતુ મુલાયમ હોય છે. જે ખૂબ જ જલ્દી વધે છે. તેના પાન હળવા પીળા અને હળવા લીલા હોય છે. તેને વધુ તડકાની જરૂર નથી પડતી. તે છાંયામાં પણ વધે છે. વસંત ઋતુમાં તેમાં તારા જેવા નાના નાના સફેદ કે ગુલાબી ફૂલ આવે છે, જે ખૂબ જ સુંદર લાગે છે.
ક્રાસુલાનો છોડ જોવામાં પણ સુંદર લાગે છે. તેના પાન મજબૂત અને લચીલા હોય છે. તે અડવાથી વળી નથી જતી કે તૂટતા નથી. ક્રાસુલાના છોડને વધુ દેખરેખની જરૂર નથી પડતી એટલે તેને સરળતાથી ઘરમાં લગાવી શકાય છે.
આ છોડની સૌથી સારી વાત એ છે કે તે જલ્દી સુકાતો નથી. તેને અઠવાડિયામાં બે કે ત્રણ વાર પાણી આપવું ઘણું છે. આ છોડ બહુ વધુ જગ્યા નથી લેતો. જેથી તેને એક નાના કુંડામાં પણ લગાવી શકાય છે.
જો આપણે તેને અઠવાડિયામાં બે કે ત્રણ વાર પાણી આપીએ તો તે સુકાતો નથી. સાથે જ તેના માટે બહુ વધુ જગ્યાની પણ જરૂર નથી, એક નાના કુંડામાં તેને લગાવી શકાય છે. છાયામાં પણ આ છોડ વિકસિત થઈ શકે છે.
વાસ્તુના અનુસાર, ક્રાસુલાનો છોડ લગાવતા સમયે દિશાનું ધ્યાન રાખવું જોઈએ. તેને ઘરના પ્રવેશ દ્વારની જમણી બાજુએ રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્રના અનુસાર આ છોડ ઘરમાં સકારાત્મક ઊર્જા વધારે છે. માનવામાં આવે છે કે તેને રાખવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. કહેવામાં આવે છે કે આ છોડ ધનને ઘરની તરફ ખેંચે છે. જો તમારે ઘરમાં ધન રહેતું નથી તો તમે પણ ક્રાસુલાનો છોડ લગાવી શકો છો.