જો તમે અરેન્જ મેરેજ વિશે વિચારી રહ્યા છો અથવા જો તમારા લગ્ન નક્કી થઈ ગયા છે અને તમે તમારા જીવનસાથી વિશે મૂંઝવણમાં છો. ઉદાહરણ તરીકે, તમે વિચારી રહ્યા છો કે શું તમારું લગ્ન જીવન સફળ થશે? અથવા જીવનસાથી કેવો હશે? તમને સમજશે કે નહીં? પ્રેમાળ હશે કે પછી કંટાળાજનક હશે? તો ચાલો અમે આમા તમારી મદદ કરીએ. અંકશાસ્ત્ર ગુણના આધારે તમારા જીવનસાથીને જાણવાની બધી વિગતો આપેલ છે. આ મુજબ, તમે આ માહિતી તમારી અને તેમના જન્મદિવસની તારીખના આધારે જોઈ શકો છો. કારણ કે જન્મ તારીખ વ્યક્તિત્વ અને તમારા લગ્ન જીવન વિશે બધું કહી દે છે. ચાલો જાણીએ…
જો અંક 1 હોય તો
અંકશાસ્ત્ર અનુસાર, જેમના જન્મદિવસની તારીખ 1, 10, 19 અથવા 28 છે. એટલે કે, જો મૂળ અંક 1 છે, તો તમે જાણી લો કે તમે ખૂબ ભાગ્યશાળી છો. એવું કહેવામાં આવે છે કે આ મૂળાક્ષી સાથેના વ્યક્તિઓ, પ્રેમ લગ્ન કરે કે અરેન્જ, તેમના જીવનસાથીને તેઓ ક્યારેય છોડતા નથી. જો કે, ઘણી વખત તેઓ તેમના જીવનસાથી પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેઓ સંબંધો માટે એકદમ વફાદાર હોય છે.
જો અંક 2 હોય તો
અંકશાસ્ત્ર અનુસાર, જેમની જન્મ તારીખ 2, 11, 20 અથવા 29 છે, તેઓ ખૂબ કામુક અને સંવેદીનશીલ હોય છે. તેઓ તેમના પાર્ટનર સાથે ભાવનાત્મક રીતે પણ ખૂબ જોડાયેલા હોય છે. તેઓ તેમના જીવનસાથીની નાનામાં નાની ખુશીઓની પણ કાળજી લે છે. તેઓ જે બોલે છે તે બધું સમજે છે. આ જ કારણ છે કે તેમની વચ્ચે ઝઘડાઓ ઓછા થાય છે.
જો અંક 3 હોય તો
અંકશાસ્ત્ર અનુસાર, જે લોકોના જન્મદિવસ 3, 12, 21 અથવા 30 તારીખ હોય, તો આવા લોકો ખૂબ વ્યવહારિક હોય છે. રોમાંસના કિસ્સામાં, તેઓ થોડા પાછળ રહે છે. આ સિવાય તેમને લાગણીઓ વ્યક્ત કરવામાં પણ ઘણી સમસ્યાઓ થાય છે. આ જ કારણ છે કે પ્રેમ અને પ્રેમને જાહેર કરવામાં તેમની વચ્ચે ઘણા વિવાદ થતા રહેતા હોય છે.
જો અંક 4 હોય તો
અંકશાસ્ત્ર અનુસાર, જો તમારા જન્મદિવસની તારીખ 4, 13, 22 અથવા 31 છે, તો સમજવું કે તમારો જીવનસાથી અન્ય કરતા થોડો જુદો છે. મતલબ, તેઓ ક્યારે અને કેવી રીતે વર્તન કરશે આ વિશે કોઈ અનુમાન કરી શકાતું નથી. આ નંબરના લોકો રોમેન્ટિક પણ નથી હોતા.
જો અંક 5 હોય તો
અંકશાસ્ત્ર અનુસાર, જો કોઈના જન્મદિવસની તારીખ 5, 14 અથવા 23 છે, તો એવું કહેવામાં આવે છે કે આવા લોકો તેમના પરફેક્ટ જીવનસાથીને પસંદ કરવા માટે પાર્ટનર બદલતા અચકાતા નથી. જો કે, આ લોકો જેની સાથે જોડાય છે, તેમના માટે દરરોજ કંઇક અલગ અને નવું કરવાનો પ્રયાસ કરે છે. તેઓ પ્રેમને અલગ-અલગ રીતે વ્યક્ત કરવાનું પસંદ કરે છે. એક જ શૈલીથી ખૂબ ઝડપથી કંટાળી જાય છે. તેઓ જાતીય પ્રવૃત્તિઓ વિશે ખૂબ ઉત્સાહિત હોય છે.
જો અંક 6 હોય તો
અંકશાસ્ત્ર અનુસાર, જેનો જન્મદિવસ 6, 15 અથવા 24 તારીખ પર હોય છે તે ખૂબ જ મોહક અને રોમેન્ટિક હોય છે. તેઓ ખૂબ લાગણીશીલ પણ હોય છે. તેઓ દિલ દઈને કામ લે છે. આ જ કારણ છે કે ઘણી વાર, દિલના કિસ્સાઓમાં, તેઓ પરાજિત થાય છે. પરંતુ જેની સાથે પણ તેઓ લગ્ન કરે છે, તેની દરેક ખુશીઓનું ધ્યાન રાખે છે.
જો અંક 7 હોય તો
અંકશાસ્ત્ર અનુસાર, જે લોકોના જન્મદિવસ 7, 16 અથવા 25 તારીખના હોય છે તેઓ વિચારોની દુનિયામાં હોય છે. તેઓ રોમેન્ટિક નથી હોતા પણ પ્રેમમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. તેમના માટે લગ્નજીવનને સફળ બનાવવા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ રાખવું મહત્વપૂર્ણ છે. તેઓ ખૂબ જ વફાદાર હોય છે અને સંબંધો માટે પોતાનું સર્વસ્વ આપવા તૈયાર હોય છે.
જો અંક 8 હોય તો
અંકશાસ્ત્ર અનુસાર, જે લોકોના જન્મદિવસ 8, 17 અથવા 26 તારીખ પર હોય છે તે ખૂબ પ્રભાવશાળી હોય છે. પરંતુ થોડા ભાવનાત્મક પણ હોય છે. તેઓ પ્રેમ અને લગ્ન વિશે ખૂબ વફાદાર હોય છે. પરંતુ તેઓ પ્રેમ માટે વધુ ઝડપથી દોડવાના બદલે, તેઓ ધીરે ધીરે થતાં પ્રેમ પર વધુ આધાર રાખે છે.
જો અંક 9 હોય તો
અંકશાસ્ત્ર અનુસાર, જેના જન્મદિવસ 9, 18 અથવા 27 તારીખ પર છે તે ખૂબ જ કાળજીપૂર્વક તેમના જીવનસાથીને પસંદ કરે છે. જો તેઓ કોઈને એકવાર હા કહે છે, તો તેની દરેક લાગણીઓનું ધ્યાન રાખે છે. તેઓ રોમેન્ટિક તો હોય છે પણ થોડો સમય લે છે. તેમને સાહસ પસંદ આવે છે. તેઓ તેમના પાર્ટનર્સ સાથે ખૂબ મોજ-મસ્તી કરે છે.