સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની ગુત્થી દરરોજ જતાં દિવસે ઉલજતી જઈ રહી છે. રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કેસમાં છેતરપિંડીના આક્ષેપોનો સામનો કરી રહેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીની કોલ ડિટેલથી ખુલાસો થયો છે કે તે સુશાંતને માંદગીનો ડર બતાવીને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા માગતી છે.
એ વાત પણ સામે આવી છેકે, સુશાંત આ વર્ષે જાન્યુઆરીમાં 20થી 24 ફેબ્રુઆરીની વચ્ચે કારથી ચંદીગઢ ગયા હતા. તે પોતાની બહેનની સાથે રહેવા માંગતો હતો. આ પાંચ દિવસો દરમ્યાન તેને 25 કોલ કર્યા હતા.
સુશાંત હિમાચલ જવા માંગતો હતો
સુશાંત તેની બહેનો સાથે ચંદીગઢ અને પછી હિમાચલ જવા ઇચ્છતો હતો. જોકે, રિયાએ તેને બ્લેકમેલ કરીને રોક્યો હતો. સુશાંતે તેની બહેનોને રિયા અને તેના પરિવાર વિશે જણાવ્યું હતુ. સુશાંત મુંબઇ છોડીને હિમાચલ પ્રદેશમાં ક્યાંક રહેવા માંગતો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.
રિયા માનસિક હોસ્પિટલ મોકલવા માંગતી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર સુશાંતે નવેમ્બર અને ડિસેમ્બરમાં નવા નંબરથી બહેનને કોલ કરીને મદદ માંગી હતી. સુશાંતે કહ્યું હતું કે રિયા અને તેના પરિવારજનો તેને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે માનસિક હોસ્પિટલમાં જવા માંગતો નથી.
સુશાંતના પરિવારે રિયા પર ગંભીર આરોપો લગાવ્યા
રિયા ચક્રવર્તી પર સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં અનેક ગંભીર આરોપો લાગ્યા છે. સુશાંતના પિતાએ રિયા સામે એફઆઈઆર નોંધાવી છે. અને તેની સામે બિહાર પોલીસમાં છેતરપિંડીનાં આરોપો લગાવ્યા છે. તેમણે રિયા પર આરોપ લગાવ્યો હતો કે રિયા સુશાંતના પૈસા પર નજર રાખી રહી છે અને તેણે તેના ખાતામાંથી કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે. સીબીઆઈ આ કેસમાં તપાસ શરૂ કરવા જઇ રહી છે. આ સાથે જ ઇડીએ રિયાને પણ સમન્સ પાઠવ્યું છે.
કરોડો રૂપિયાની હેરાફેરીના લાગ્યા છે આરોપો
ઇડી સુશાંત કેસમાં મની લોન્ડરિંગ એંગલની તપાસ કરી રહી છે. રિયાના નામે શું પ્રોપર્ટી છે? તેની સતત તપાસ કરવામાં આવી રહી છે રિયાની એક પ્રોપર્ટી મુંબઇની ખાર (શિવાલિક બિલ્ડર્સ) માં છે, જે તેણે 85 લાખ રૂપિયામાં ખરીદી હતી. ડાઉન પેમેન્ટ તરીકે તેણે રૂ. 25 લાખ ચૂકવ્યા છે અને 60 લાખ રૂપિયાની હાઉસિંગ લોન લીધી છે.
550 ચોરસ ફૂટનો આ ફ્લેટ રિયાના નામે બુક કરાયો હતો. તો બીજી મિલકત રિયાના પિતાના નામે છે, જે તેણે 2012 માં 60 લાખ રૂપિયાની રકમ આપીને ખરીદી હતી. વર્ષ 2016 માં, પેરેડાઇઝ ગ્રુપના બિલ્ડરે આ પ્રોપર્ટી પર પઝેશન આપ્યું હતું. 1130 ચોરસ ફૂટની સંપત્તિ રાયગઢ જિલ્લાના ઉલવે ખાતે આવેલી છે.
આવકવેરાના રેકોર્ડ મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં રિયાની કુલ સંપત્તિ 10 લાખથી વધીને 12 લાખ થઈ હતી અને પછી તે વધીને 14 લાખ થઈ હતી. આટલી ઓછી નેટવર્થ હોવા છતાં, રિયાએ મુંબઈમાં બે સંપત્તિ ખરીદી હતી. એક તેના નામે અને બીજી તેના પરિવારના સભ્યના નામે. આ સંપત્તિઓ માટે કોણે ચૂકવણી કરી તે હજી સ્પષ્ટ નથી.
ઇડીએ સંપત્તિના કાગળો માંગ્યા છે જે જલ્દીથી મળી જશે.ઉલ્લેખનીય છેકે, સુશાંતના પિતાએ રિયાએ સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યા બાદ ઇડીએ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.