પટના: બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ ચરણનું મતદાન 28 ઑક્ટોબરે થશે, જેમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી રહેલા મનોરમા દેવીના ભાગ્યનો પણ નિર્ણય થવાનો છે. જેની ઓળખ દબંગ નેતા તરીકેની છે. તે ગયા જિલ્લાની અતરી બેઠકથી જદયૂની ઉમેદવાર છે અને પોતાની સંપત્તિઓના કારણે ચર્ચામાં છે, કારણ કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે એફિડેવિટમાં 89.77 કરોડની સંપત્તિ બતાવી છે. તેની પાસે 44.77 કરોડની મૂવેબલ અને 45 કરોડની નોન મૂવેબલ અસેટ્સ છે. જ્યારે 2015માં તે વિધાન પરિષદની ચૂંટણી લડી રહી હતી, ત્યારે તેણે એફિડેવિટમાં 12.24 કરોડની સંપત્તિ દર્શાવી હતી. જણાવી દઈએ કે તે એક સમયે ટ્રક ચાલકની દીકરી હતી. તેના લગ્ન બાહુબલી નેતા બિંદેશ્વરી યાદવ ઉર્ફ બિંદી યાદવ સાથે થયા હતા, જેનું આ વર્ષે જ કોરોનાના કારણે મોત થઈ ગયું. આવો જાણીએ, પહેલા ચરણની સૌથી અમીર ઉમેદવારની કહાની.
મનોરમા દેવીની ઓળખ દબંગ નેતા તરીકેની છે. તેના પતિ બિંદેશ્વરી યાદવ એક જમાનાના બાહુબલી નેતા હતા. તેઓ લાલૂ યાદવના નજીકના લોકોમાંથી એક હતા. આ વર્ષે કોરોનાના કારણે તેમનું મોત થયું. જણાવી દઈએ કે, તેમનો સંબંધ બિહાર નહીં પરંતુ પંજાબ સાથે છે. (ફાઈલ ફોટો)
મનોરમા દેવીના પિતા એક ટ્રક ડ્રાઈવર હતા, જેનું ગયાથી પસાર થતા જીટી રોડથી હંમેશા આવવા જવાનું રહેતું હતું. એ દરમિયાન તે બારાચટ્ટીના કાહૂદાગ પાસે જમવા રોકાતા હતા. એ જ ધાબા વાળાની છોકરી કબૂતરી દેવી હતી. જેની સાથે તેણે લગ્ન કર્યા. પછી ત્યાં જ જમીન ખરીદી અને વસવાટ કર્યો. જ્યાં મનોરમા યાદવનો જન્મ 1970માં થયો.(ફાઈલ ફોટો)
મનોરમા દેવી બારાચટ્ટીની એક સ્કૂલમાં ભણી. એ સમયે મોહનપુરના ગણેશચક ગામના બિંદી યાદવની બારાચટ્ટીમાં અવર-જવર શરૂ થઈ ગઈ હતી. બંડાશ્રમમાં આવા છૂટક અપરાધિઓનો મેળો લાગતો હતો. જીટી રોડ પર બનતી નાની-મોટી ઘટનાના માધ્યમથી બિંદી યાદવનું નામ વિસ્તારમાં ઉભરવા લાગ્યું હતું. સ્કૂલના શિક્ષણ બાદ મનોરમાએ સોભ ઈન્ટર કૉલેજમાં એડમિશન લીધું. આવતા-જતા મનોરમાની નજર બિંદી પર પડી. ખૂબસૂરત અને સલીકા વાળી આ છોકરીએ બિંદીને ખૂબ જ પ્રભાવિત કર્યો. (ફાઈલ ફોટો)
બિંદીએ તેની ચર્ચા પોતાના લોકો સાથે કરી અને મનોરમાની સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો. પરંતુ બિંદીની કરતૂતોની જાણ હોવાથી મનોરમાએ પહેલા તો ના પાડી દીધી. જે બાદ વિસ્તારના કેટલાક લોકોના સમજાવ્યા બાદ મનોરમાની માતા બિંદી સાથે તેના લગ્ન કરાવવા માની ગઈ. જે બાદ 1989માં તેના લગ્ન થયા.(ફાઈલ ફોટો)
મનોરમાની લગ્ન કર્યા બાદ કિસ્મત ચમકવા લાગી હતી. 1990માં બિહારમાં લાલૂ રાજ કાયમ થઈ ગયું. બિંદી યાદવે પોતાની ધાક જમાવવાનું શરૂ કર્યું અને જોત-જોતામાં બિંદી યાદવ અને મનોરમા દેવી આસમાનમાં ઉડવા લાગ્યા. બિંદી યાદવનો આતંક હતો. તેના પર પૈસાનો વરસાદ થવા લાગ્યો.(ફાઈલ ફોટો)
બિંદેશ્વરી ઉર્ફે બિંદી યાદવને 2001માં જિલ્લા પરિષદનો અધ્યક્ષ ચૂંટવામાં આવ્યો. 2005માં રાજદથી ટિકિટ ન મળી તો અપક્ષ લડ્યો, પણ હારી ગયો. 2010માં રાજદે ટિકિટ આપી, પણ નસીબે સાથ ન આપ્યો. જો કે, પત્નીને બે-બે વાર એમએલસી બનાવવામાં સફળ રહ્યો.(ફાઈલ ફોટો)
કહેવાય છે કે રૉકીનું ગયા જિલ્લામાં ખૂબ જ ચાલે છે. મનોરમાની પાસે દિલ્લીની આસપાસના વિસ્તારોમાં મૉલ, હોટલ અને અનેક પેટ્રોલ પંપ છે. તેના ઘરમાંથી 2016માં બિહારમાં પ્રતિબંધ હોવા છતાં શરાબ મળી આવ્યું હતું. બાદમાં તેણે સરેન્ડર કર્યું હતું. જે બાદ તે જેલ પણ ગઈ હતી. (ફાઈલ ફોટો)
જેડીયૂની ગયા જિલ્લાના અતરી સીટથી મનોરમા દેવીને ટિકિટ આપવામાં આવી છે. મનોરમા દેવી સાઈડ ન આપવાના કારણે હત્યા કરનાર રૉકીની માતા છે. હાલ તે એમએલસી છે. જેનો કાર્યકાળ મે 2021 સુધી છે. (ફાઈલ ફોટો)