Only Gujarat

FEATURED National

ભાઈના લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, વાન-બસ વચ્ચે અકસ્માત થતાં 8 લોકોનાં મોત

જયપુર: જે ઘરમાં 10 દિવસ બાદ લગ્નની શરણાઈ વાગવાની હતી, પરિવારજનો પુત્રના લગ્નની તૈયારી કરી રહ્યાં હતાં પરંતુ હવે તે ઘરમાં માતમ છવાઈ ગયો છે. ગુરૂવારે સવારે ચુરૂમાં નેશનલ હાઈવે 11 પર થયેલા વાન અને બસ વચ્ચેના અકસ્માતને આ પરિવારની ખુશી છીનલી લીધી હતી. જેમાં દુલ્હાના ભાઈ સહિત નાનપણના 8 મિત્રોનું મોત નિપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં મોત નિપજેલા બે તો સગા ભાઈ હતાં.

નોંધનીય છે કે, આ તમામ બીકાનેરથી પોતાના મિત્ર શફીક ખાનની સાથે તેના ભાઈના 19 જાન્યુઆરી યોજાનાર નિકાહના કાર્ડ વહેંચવા માટે રતનગઢ જઈ રહ્યા હતાં. મોત બાદ પરિવારજનોત ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યાં હતાં.

નજરે જોનાર લોકોએ કહ્યું હતું કે, ઘટના બહુ જ ખતરનાક હતી. અકસ્માત બાદ વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ આ તમામ બચાવો બચાવોની બુમાબૂમ કરી રહ્યાં હતાં જ્યારે કોઈ અંદરથી કહી રહ્યું હતું કે, હવે હું નહીં બચું શકું. જ્યારે અનેક લોકોને બોલવાની પણ તક મળી નથી. વાનમાં સવાર 8 લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

પરિવારજનો નિકાહની તૈયારી છોડીને અગ્નિસંસ્કારની તૈયારી કરલા લાગ્યા હતાં. મોત બાદ 8 પરિવારજનોના ઘરે માતમ છવાઈ ગયો હતો. અકસ્માતમાં મોત નિપજેલા તમામ લોકોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

અકસ્માત એટલો ભયાનક હતો કે વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વાનમાં સવાર 8 લોકોના મોત નિપજ્યાં હતાં. આ ઘટનાનું કારણ ધુમ્મસ બતાવવામાં આવ્યું હતું. જેના કારણે બન્ને વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page