ઉત્તરાખંડના પિથૌરાગઢમાં કનાલીછીના વિકાસખંડના ખનપર ગામમાં મંદિરના સૌંદર્યીકરણ અને ચૌડીકરણ દરમિયાન કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન એક રહસ્યમય ગુફા મળી છે. આ ગુફા 15 મીટર લાંબી અને 10 મીટર પહોળી છે. ગુફાને અંદરથી જોનારા લોકો પણ દંગ રહી ગયા છે.
આ ગુફાની અંદર શિવલિંગની આકૃતિનો સફેદ પથ્થર, જલધારા સહિત અનેક કલાકૃતિ છે. દૂર દૂરથી લોકો ગુફા જોવા પહોંચી રહ્યાં છે. લોકો દંગ છે કે જમીનની અંદર આવી આકૃતિ ક્યાંથી આવી છે.
ખનપર ગામ નજીક આવેલી ગુફાવાળી માતાના નામથી પ્રસિદ્ધ મંદિર છે. અહીં ધર્મશાળા, સૌદર્યીકરણ અને પટાંગણનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. બે દિવસ પહેલા અહીં પોકલેન્ડ મશીનથી ભેખડોને કાપવામાં આવી રહી હતી.
પોકલેન્ડ ઓપરેટર નીરજે જણાવ્યું કે તેઓને પહાડીની અંદર નાની ગુફા દેખાઇ હતી. નિર્માણ કાર્યમાં લાગેલા લોકો ગુફાની અંદર ગયા તો સફેદ શિવલિંગ, તેના પર ટપકતી જલધારા, જલકુંડ, શંખ અને પર્વતમાં બનેલી તમામ કલાકૃતિ નજર આવી.
ગુફા જોવા પહોંચેલા લોકોની ભીડને ધ્યાને રાખી ત્યાં સમારકામ રોકી દેવામાં આવ્યું છે. પ્રવેશ દ્વારની પાસે ગુફાની ઉંચાઇ અંદાજે ચાર ફૂટ અને અંદર સાત ફૂટ છે. ગુફાને જોયા બાદ લોકો વિવિધ અટકળો લગાવી રહ્યાં છે.
ખનપરમાં રહેતા હરીશ તિવારીએ કહ્યું કે ગુફાને પાતાલ ભુવનેશ્વરના આધારે વિકસીત કરવામાં આવી શકે છે. તેઓએ પુરાતત્વ વિભાગ અનુરોધ કર્યો કે ગુફાનું સર્વેક્ષણ કરવામાં આવે.
અલ્મોડાના પુરાતત્વવિદ ચંદ્ર સિંહ ચૌહાનનું કહેવું છે કે આ પ્રાકૃતિક ગુફા છે. ગુફાની અંજર જે પણ આકૃતિયા એવી રીતે બનેલી હોય છે જે ચુનાની હોય છે.
જે સ્થાન પર આ ગુફા છે તે યાતાયાત સાથે જોડાયેલા છે. એવામાં પર્યટનની દ્રષ્ટીથી આ ખુબ જ લાભકારી સાબિત થઇ શકે છે. તુરંત ગુફાનું સર્વેક્ષણ કરવું જોઇએ.