વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ સોફ્ટવેર દ્વારા સેંકડો કેસનું વિશ્લેષણ કર્યું. કિંગ્સ કોલેજ લંડનના વૈજ્ઞાનિકે, તેમના સંશોધનમા શોધી કાઢ્યું છે કે છઠ્ઠા પ્રકારનાં કોરોના વાયરસના કિસ્સામાં, પ્રથમ કિસ્સામાં, 10 ગણું જોખમ રહેલું છે કે દર્દીને શ્વાસ લેવામાં મદદની જરૂર પડે છે.
વૈજ્ઞાનિકોની નવી શોધ બાદ,સમય જતાં કોરોના વાયરસના કેસોમાં સૌથી વધુ જોખમ ધરાવતા દર્દીઓની ઓળખ શક્ય બનશે. વૈજ્ઞાનિકોએ સંશોધન માટે યુએસ અને બ્રિટનમાં 1600 કોરોનાથી સંક્રમિત દર્દીઓના ડેટા વિશ્લેષણ કર્યા.
કિંગ્સ કોલેજ લંડનના ક્લેયર સ્ટીવ્સે જણાવ્યું હતું કે, જો બીમારી પછી પાંચમા દિવસે આપણે શોધી કાઢીએ છીએ કે, દર્દી કોરોના વાયરસ બીમારીની કંઈ કેટેગરીમાં છે તો સમય રહેતાં તેમની સારી કેર કરી શકાય છે.
રિસર્ચમાં જાણ થઈ છેકે, સૌથી ઓછો ખતરનાક વાયરસથી બીમાર થવા પર ફ્લૂ જેવા લક્ષણ હોય છે અને સાથે તાવ પણ થઈ શકે છે અને ન પણ થાય, તો ત્રીજા પ્રકારનાં કોરોના વાયરસનાં કેસમાં ડાયેરિયાનાં લક્ષણ હોઈ શકે છે. જ્યારે ચોથા, પાંચમા અને છઠ્ઠા પ્રકારનાં કોરોના વાયરસનાં કેસમાં થાક, કંફ્યુઝન, શ્વાસની તકલીફ જેવાં લક્ષણો સૌથી વધારે થઈ શકે છે.
રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યુ છેકે, પહેલાં પ્રકારનાં કોરોના વાયરસથી બીમાર 1.5 ટકા દર્દી, બીજા પ્રકારનાં મામલાઓમાં 4.4 ટકા દર્દી અને ત્રીજા પ્રકારનાં મામલામાં ફક્ત 3.3 ટકા દર્દીઓને શ્વાસ લેવામાં મદદ આપવાની જરૂર હોય છે.
તો ચોથા, પાંચમા અને છઠ્ઠા પ્રકારનાં કેસમાં આ આંકડા 8.6 ટકા, 9.9 ટકા અને 19.8 ટકા જોવા મળ્યા છે. છઠ્ઠા પ્રકારનાં કોરોના વાયરસનાં મામલામાં જોવા મળ્યુ છેકે, અડધા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી હતી.
જ્યારે પહેલાં પ્રકારનાં કોરોનાના મામલાઓમાં ફક્ત 16 ટકા દર્દીઓને હોસ્પિટલમાં જવાની જરૂર પડી હતી.