Only Gujarat

International

માત્ર 15% વસ્તી સંક્રમિત થશે ત્યારે પોતાની તાકાત ખોઈ દેશે કોરોના વાયરસ

કોરોના વાયરસનો વધતો ચેપ વિશ્વ માટે ચિંતાનું કારણ બની રહ્યો છે. આને કારણે થતા મૃત્યુની સંખ્યા પણ દરરોજ વધી રહી છે. તાજેતરમાં, એક સંશોધન અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે વાયરસનો સ્ટ્રેન નબળો પડી રહ્યો છે અને રસી તૈયાર કરવા માટે આ સારો સમય છે. કોરોના ચેપને નિયંત્રિત કરવા માટે તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે અને વિવિધ પ્રકારના પ્રયોગોની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ગઈ માર્ચથી તેને નિયંત્રણમાં રાખવા માટે “હર્ડ ઈમ્યુનિટી”ની પણ ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ ઘણા નિષ્ણાતોએ તેની સફળતા અંગે આશંકા વ્યક્ત કરી હતી. હર્ડ ઈમ્યુનિટીમાં, રોગચાળાને કાબૂમાં રાખવા 60 થી 70 ટકા વસ્તીને ચેપ લગાડવો જરૂરી માનવામાં આવે છે. પરંતુ એક નવા સંશોધન અધ્યયનમાં, 10 થી 15 ટકા વસ્તીને ચેપ લગાડવો એ પણ વાયરસને અમુક હદ સુધી નિયંત્રણમાં રાખવા માટે અસરકારક હોવાનું કહેવાય છે.

હમણાં સુધી, એવું માનવામાં આવતું હતું કે 60 થી 70 ટકા વસ્તીને ચેપ લાગે છે તો લોકોમાં હર્ડ ઈમ્યૂનિટી એટલેકે, સામૂહિક પ્રતિરક્ષા વિકસિત થઈ શકે છે. પરંતુ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને વર્જિનિયા ટેક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક સંશોધન અધ્યયનમાં શોધી કાઢ્યું છે કે જો 10 થી 15 ટકા વસ્તીને પણ ચેપ લાગશે તો કોરોના વાયરસ તેની શક્તિ ગુમાવશે. પરંતુ શું આ વાયરસ ખરેખર પહેલા કરતાં નબળો પડી રહ્યો છે?

સ્વીડનમાં થયુ એવું જ
આ સંશોધન અધ્યયનમાં સંશોધનકારોએ સ્વીડનનું ઉદાહરણ આપ્યુ છે. કોરોનાનું સંક્રમણ વધતાં જ્યારે દુનિયાનાં દેશો લોકડાઉન લગાવી રહ્યા હતા, ત્યારે સ્વીડને એવું કશું જ કર્યુ ન હતુ. ત્યારે સ્વીડનમાં દુકાનો, રેસ્ટોરાં, બાર અને બજારો આ બધા ખુલ્લાં હતાં. પરિણામ એ આવ્યું કે સ્વીડનમાં કોરોના ચેપ ખૂબ ઝડપથી ફેલાયો. શરૂઆતમાં મોટી સંખ્યામાં મોત પણ થયા હતા. જો કે, બાદમાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થવાનું શરૂ થયું.

સંશોધનકારોના જણાવ્યા મુજબ, હાલનાં સમયમાં, અહીં દરરોજ 100 જેટલા કેસ નોંધાય છે અને પાંચથી ઓછા લોકો મરી રહ્યા છે. સંશોધનકારોના જણાવ્યા મુજબ, લોકોમાં ઈમ્યુનિટી વિકસિત થઈ ગઈ છે, તેથી આ આંકડો ઘટતો જઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે આવી સ્થિતિમાં વાયરસ સંવેદનશીલ બને છે.

સંશોધનકારોના જણાવ્યા અનુસાર, જ્યારે સ્વીડનમાં આ ચેપ 7.3 ટકા વસ્તીમાં ફેલાયેલો ત્યારે દેશમાં 5,280 લોકો મૃત્યુ પામ્યા હતા, પરંતુ 14% વસ્તી ચેપને કારણે મૃત્યુ પામી હતી. આ આધારે, સંશોધનકારોનું કહેવું છે કે જ્યારે ચેપ 10 થી 15 ટકા ફેલાય છે અને તે એટલો જીવલેણ રહેતો નથી ત્યારે વાયરસ તેની શક્તિ ગુમાવે છે.

સ્વીડનમાં સામે આવેલી હર્ડ ઈમ્યૂનિટીના કારગર થવાની વાત સ્પેનમાં લાગૂ થઈ ન હતી. યુરોપિયન દેશ સ્પેન કોરોનાથી ભારે પ્રભાવિત થયો હતો. સ્પેનમાં ફક્ત પાંચ ટકા લોકોએ ઈમ્યૂનિટી વિકસાવી હતી, જ્યારે 95 ટકા લોકો વાયરસ માટે સંવેદનશીલ હોવાનું જણાયું હતું. આ પરિણામો સૂચવે છે કે કોરોના વાયરસના ચેપનું નિયંત્રણ ફક્ત હર્ડ ઈમ્યુનિટી પર જ શક્ય નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page