બુધવારે રાત્રે પિતાનું દેહાંત થયું હતું. દેવેન્દ્ર આખી રાત રડતો રહ્યો. બીજા દિવસે બારમા ધોરણની બોર્ડની પરીક્ષા હતી. પરિવારજનો પરીક્ષા બાબતે ચિંતિત હતા. તો યુવાન પિતાનાં સપનાં સાકાર કરવા ઈચ્છતા હતા. પિતા હંમેશાં તેના દીકરાને ભણવા માટે પ્રેરિત કરતા હતા અને તેની અસર પણ જોવા મળી. ગુરૂવારે યુવાને પહેલાં હિંદી વિષયની પરીક્ષા આપી અને પછી પરીક્ષા આપ્યા બાદ પિતાના અંતિમ સંસ્કાર કર્યા.
50 વર્ષીય પિતાનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું
વાસ્તવમાં મધ્ય પ્રદેશના દેવાસ શહેરના આવાસ નગરના રહેવાસી જગદીશ સોલંકીનું અચાનક જ બુધવારે રાત્રે હાર્ટ અટેકથી અવસાન થયું. આ સમયે તેમની ઉંમર 50 વર્ષ હતી. તે સિટી પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં કામ કરતા હતા. અચાનક જ પિતાનું અવસાન થતાં દેવેન્દ્રને આઘાત લાગ્યો. પિતાના મૃત્યુ બાદ તે આખી રાત રડતો રહ્યો. પરિવારમાં કમાનાર વ્યક્તિ માત્ર તેના પિતા જ હતા.
સવારે આપી હિંદી વિષયની પરીક્ષા
12 ધોરણના વિદ્યાર્થી દેવેન્દ્રની ગુરૂવારે હિંદી વિષયની પરીક્ષા હતી. હવે દુવિધા એ હતી કે, પિતાની લાશ ઘરમાં છોડીને દીકરો પરીક્ષા આપવા જાય કે પછી પિતાના અંતિમ સંસ્કાર કરે. પરિવાર અને આસપાસના લોકો પણ આ બાબતે પણ ચિંતિત હતા. પરિવારે યુવાનને હિંમત આપી. ત્યારબાદ દેવેન્દ્રએ સવારે પહેલાં તો હિંદી વિષયની પરીક્ષા આપી.
ત્યારબાદ કર્યા પતિના અંતિમ સંસ્કાર
પિતાના મૃત્યુનો આઘાત લાગ્યા બાદ પણ દેવેન્દ્ર હિંમત ન હાર્યો. ખૂબજ દુ:ખ સાથે તે પરીક્ષા આપવા ગયો અને પરીક્ષા આપ્યા બાદ પિતાના અંતિમ સંસ્કાર કર્યા. આ ઘટનાની સૂચના યુવાનના સહાધ્યાયીઓને મળ્યા હતા. અંતિમ સંસ્કાર સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સહાધ્યાયીઓએ યુવાનને હિંમત આપી.
લોકો કરી રહ્યા છે દેવેન્દ્રનાં વખાણ
આ ઘટના બાદ લોકો દેવેન્દ્રનાં વખાણા કરી રહ્યા છે. યુવાનનું કહેવું છે કે, તેના પિતાનું સપનું હતું કે, તે ભણે, જેથી તેનું ભવિષ્ય સારું બને. આ જ કારણે તેણે 12 મા ધોરણની પરીક્ષા આપી. યુવાનનું કહેવું છે કે, બોર્ડની પરીક્ષાનાં બધાં જ પેપર આપશે.