સરકારી નોકરી મળ્યા બાદ આખરે એવું તો શું બન્યું કે યુવકે 15 દિવસમાં જ આપી દીધો જીવ!
તામિલાડુના કન્યાકુમારીથી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક વ્યક્તિએ તેની સરકારી નોકરીને કારણે આત્મહત્યા કરી લીધી. તે વ્યક્તિએ નક્કી કર્યું હતું કે જો તેને નોકરી મળશે તો તે પોતાનો જીવ છોડી દેશે અને ભગવાનના શરણમાં જશે.
વાસ્તવમાં,આ મામલો કન્યાકુમારી જિલ્લાના નાગરકોઇલનો છે, જ્યાં 32 વર્ષીય નવીન નોકરી શોધવા માટે અસમર્થ હોવાને કારણે તેના જીવનથી હતાશ થઈ રહ્યો હતો. પછી તેણે એક દિવસ માનતા કરી કે, જો તેને નોકરી મળશે તો તે પોતાનો જીવ આપી દેશે.
તે બાદ નવીને જલ્દી મુંબઈમાં બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી મળી ગઈ. નોકરી જોઈન કરવા માટે તે ઓફિસમાં પણ ગયો, જ્યાં તેણે 15 દિવસ કામ પણ કર્યુ હતુ. લગભગ 15 દિવસ પછી નવીન શુક્રવારે ત્રિવન્દ્રમ જવા માટે રવાના થયો અને રેલવે સ્ટેશનની પાસે ટ્રેક ઉપર સુઈ ગયો.
નવીન પાસે એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું છે કે, તે ભગવાનને આપેલા વચનને ચૂકવી રહ્યો છે. તેણે લખ્યું છે કે તેણે ભગવાનને વચન આપ્યું હતું કે જો તેને નોકરી મળશે તો તે તેના આશ્રયમાં જતો રહેશે. તેથી જ તે આત્મહત્યા કરી રહ્યો છે.
નવીન પાસે એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું છે કે, તે ભગવાનને આપેલા વચનને ચૂકવી રહ્યો છે. તેણે લખ્યું છે કે તેણે ભગવાનને વચન આપ્યું હતું કે જો તેને નોકરી મળશે તો તે તેના આશ્રયમાં જતો રહેશે. તેથી જ તે આત્મહત્યા કરી રહ્યો છે.