પ્રેમમાં અંધ વ્યક્તિ સારાનરસાનું ભાન ભૂલી જાય છે. આજકાલ આધુનિક સમયમાં પતિ કે પત્ની નોકરી કરતાં હોય ત્યારે ઘર કરતાં બહાર વધુ રહે છે અને ઘણીવાર સાથી કર્મી સાથે અફેર થઈ જતું હોય છે. ઘણીવાર આ અફેરને કારણે એક હસતો રમતો પરિવાર બરબાદ થઈ જાય છે. હાલમાં જ આડા સંબંધોને કારણે એક સુખી પરિવાર વેરવિખેર થઈ ગયો હતો.
આ ઘટના વારાણસીની છે. પોલીસે પત્નીની હત્યાના ગુનામાં પતિની ધરપકડ કરી છે. પતિએ પ્રેમિકાની મદદથી ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રેમિકા આરોપીની દૂરની સાળી થાય છે. આડા સંબંધના ચક્કરમાં પતિએ જ પત્નીની હત્યા કરી હતી.
છ મહિનાથી એકબીજાના સંપર્કમાં હતાઃ ઉત્તર પ્રદેશના કરમપુર ગામના તારકેશ્વર મુરાદાબાદથઈ 100 કિમી દૂર ગજરૌલ ટેવા એપીઆઇમાં નોકરી કરતો હતો. તારકેશ્વરના લગ્ન 19 વર્ષ પહેલાં ગુંજા મિશ્રા સાથે થયા હતા. બંનેને બે દીકરાઓ છે. બૌરહવા ગામની સુહાની કરમપુર ગામમાં તારકેશ્વરની બાજુમાં પોતાના જીજાજીના ઘરે રહેતી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, છ મહિના પહેલાં તારકેશ્વર તથા સુહાની એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે ધીમે ધીમે વાતચીત થતી હતી અને મુલાકાત વધતાં આસપાસ ને પરિવારને આ અંગે જાણ થઈ હતી. પત્ની ગુંજાએ આ મુલાકાત અને નિકટતાનો વિરોધ કર્યો હતો.
બે મહિનાની રજા લઈને તારકેશ્વર ઘરે આવ્યો હતોઃ તારકેશ્વરના પરિવારે કહ્યું હતું કે તે બે મહિના પહેલાં ઘર બનાવવા તથા સારવાર માટે રજા લઈને આવ્યો હતો. તારકેશ્વર સુહાનીને રૂપિયા પણ નિયમિત રીતે આપતો હતો. ગુંજા આ વાતનો પણ વિરોધ કરતી હતી. 19 જુલાઈના રોજ તારકેશ્વર તથા ગુંજા રૂમમાં સૂતા હતા. આ સમયે તારકેશ્વરે ગુંજાની માથામાં ઈંટ મારીને હત્યા કરી હતી. ત્યારબાદ ઘર છોડીને ભાગ ગયો હતો.
20 જુલાઈના રોજ ગુંજા કે તારકેશ્વર રૂમમાંથી બહાર ના આવતા પરિવારને શંકા ગઈ હતી. તેઓ ગુંજાના રૂમમાં ગયા તો તે લોહીથી લથપથ હાલતમાં પડી હતી. પરિવારે ગુંજાના અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન કોઈએ ગુંજાના પિયરમાં આ વાત કહી હતી. પિયર પક્ષના સભ્યોએ પોલીસને આ અંગે જાણ કરી હતી.
તારકેશ્વર વારાણસી છોડવાની ફિરાકમાં હતોઃ પોલીસે ગુંજાની લાશ લઈને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોલીસે કહ્યું હતું કે તારકેશ્વર તથા સુહાની વારાણસી છોડીને ભાગવાની ફિરાકમાં હતા. તારકેશ્વર તથા સુહાનીની ધરપકડ કરી લેવામાં આવી છે.