કોરોના વાયરસથી વધારે વજનવાળા લોકોની મોતનો ખતરો હેલ્દી લોકોની સરખામણીમાં ત્રણ ગણો વધારે હોય છે. બ્રિટેનની સરકારી એજન્સી પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડની રીપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે.
કોરોનાથી બીમાર પડનાર એવરવેટ લોકો માટે વેન્ટિલેટરની જરૂરિયાત પણ 7 ગણી વધારે હોય છે. બોડી માસ ઈંડેક્સ 25થી ઉપર હોવા પર સમજવામાં આવે છે કે, વ્યક્તિનું વજન વધારે છે. આવા લોકો માટે પણ વેન્ટિલેટરની જરૂરિયાત વધી શકે છે, પરંતુ બોડી માસ ઈંડેક્સ 30 થી 35 હોવા પર કોરોનાથી મોતનો ખતરો 40 ટકા વધી જાય છે.
રીપોર્ટ પ્રમામે, બોડી માસ ઈંડેક્સ 25થી ઉપર રહેવા પર કોરોનાથી ગંભીર બીમાર પડવાનો ખતરો બેગણો વધી જાય છે અને મોતનો ખતરો 3 ગણો વધી જાય છે. વેન્ટિલેટરની જરૂરિયાત પડવાની સંભાવના 7 ગણી વધી શકે છે.
જોકે, વધારે વજનના કારણે કોરોનાથી સંક્રમિત હોવાનો ખતરો વધતો નથી. ઓવરવેટ લોકોના સંદર્ભમાં ડૉક્ટરોનુ કહેવુ છે કે, વ્યક્તિ પોતાનુ વજન જેટલા કિલો ઓછું કરી લેશે, કોરોનાથી તેમનો ખતરો તેટલો ઓછો થઈ જશે.
પબ્લિક હેલ્થ ઈંગ્લેડની રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, વધારે પેટ હોવાથી રેસ્પિરેટરની સિસ્ટમ પ્રભાવિત થાય છે અને તેનાથી શરીરની ઈમ્યૂન સિસ્ટમ પર અસર પડી શકે છે. આ પહેલા બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યુ હતુ કે, કોરોનાની બીજી લહેરની આશંકાને જોતા લોકોએ પોતાનુ વજન ઘટાડવુ જોઈએ.
પબ્લિક હેલ્થ ઈંગ્લેડની રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, વધારે પેટ હોવાથી રેસ્પિરેટરની સિસ્ટમ પ્રભાવિત થાય છે અને તેનાથી શરીરની ઈમ્યૂન સિસ્ટમ પર અસર પડી શકે છે. આ પહેલા બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યુ હતુ કે, કોરોનાની બીજી લહેરની આશંકાને જોતા લોકોએ પોતાનુ વજન ઘટાડવુ જોઈએ.
ઉલ્લેખનીય છે કે, દુનિયામાં કોરોનાના કુલ કેસની સંખ્યા હાલમાં 1.59 કરોથી વધારે થઈ ચૂકી છે. જ્યારે કે, 6.43 લાખ લોકોના મૃત્યુ થઈ ગયા છે.