Only Gujarat

FEATURED National

લગ્નના બે જ દિવસમાં દુલ્હને બતાવ્યો અસલી ‘રંગ’ કે સુહાગરાત તો છોડો, વરરાજાના ઉડી ગયા હોશ

ફાજિલ્કા, પંજાબઃ લુંટેરી દુલ્હનના કિસ્સા દેશભરમાંથી સામે આવતા રહે છે. પરંતુ આ લુટેરી દુલ્હન દબંગ પણ છે. લૂંટ્યા બાદ વરરાજાને ધમકાવવાથી પણ પાછળ નથી હટતી. તે લગ્નના એક કે બે દિવસ જ સાસરામાં ટકે છે અને પછી માલ ઉઠાવીને ગાયબ થઈ જાય છે. તેનું નામ છે નિશા રાની. તેણે હાલમાં જ ફાજિલ્કાના રાધા સ્વામી કૉલોનીમાં રહેતા જતિંદર કુમાર સાથે લગ્ન કર્યા હતા. જે બાદ 80 હજાર રુપિયા અને 10 લાખનું સોનું લઈને એવી પિયર ગઈ કે પાછી જ ન આવી. આ મામલાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી મલકીત સિંહે જણાવ્યું કે 5 જૂને તેના લગ્ન કાઠગઢ ગામમાં થયા હતા. પરંતુ 7 જૂને નિશાના કથિત ભાઈ અમનદીપ, દાદી અને માતા-પિતા નિશાને પોતાની સાથે લઈ ગયા. જતિંદરને નિશાના હાવભાવ પહેલેથી જ ઠીક નહોતા લાગતા. એટલે તેણે અમનદીપને ફોન કર્યો તો તેણે ખરાબ વર્તન કરી ફોન કાપી નાખ્યો. જતિંદર બીજા દિવસે પત્નીને લેવા પહોચ્યો તો નિશાએ રોકડું પરખાવ્યું કે તમને છેતરવાના હતા તો છેતરી લીધા…જે થતું હોય એ કરી લો…પહેલા પણ કર્યા છે બ્લેકમેઈલ.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે નિશા પહેલા પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી ચુકી છે. તેણે 2017માં જલાલાબાદના ગામ સિદ્ધૂવાલાના એક જવાન સુરજીત સાથે લગ્ન કર્યા હતા. અહીં તે અઢી લાખ રુપિયાની છેતરપિંડી કરીને રફૂચક્કર થઈ ગઈ હતી. તે બાદ ફલિયાંવાલાના એક યુવક સાથે લગ્ન કર્યા. કહેવાય છે કે આ યુવકને પહેલાથી જ નિશા વિશે ખબર પડી ગઈ હતી એટલે તેણે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો. પરંતુ નિશાએ કોઈ નેતા પાસે દબાણ કરાવીને લગ્ન કર્યા. આગળ વાંચો વધુ કેટલીક લુટેરી દુલ્હનના કિસ્સાઓ…


આ મામલો મધ્યપ્રદેશના ભિંડમાં સામે આવ્યો હતો. 23 ડિસેમ્બર, 2019ના અટેરમાં રહેતા ભગવતી તિવારીના દીકરા રુપેન્દ્રની સગાઈ ગોહદના પરમાલની દીકરી ભાવના સાથે નક્કી થઈ હતી. જેમના પુરા રીતિ-રિવાજ સાથે 16 જાન્યુઆરી, 2020ના લગ્ન કરાવવામાં આવ્યા. વરરાજાના ઘરના લોકોએ ઘરે પહોંચીને દુલ્હનનો ઘૂંઘટ ઉઠાવ્યો તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા. કારણ કે તેમણે જે યુવતી સાથે સગાઈ કરી હતી, તે દુલ્હન બનીને નહોતી આવી. તેની જગ્યાએ બીજી જ કોઈ છોકરી હતી. પોલીસની પૂછપરછમાં છોકરીએ જણાવ્યું કે તે કોલકાતાની રહેવાસી હતી. તેના બૉયફ્રેન્ડે દગો કરાવીને આ લગ્ન નક્કી કરાવ્યા હતા. આગળ વાંચો 77 વર્ષના બુઝુર્ગને લુટેરી દુલ્હને પ્રેમજાળમાં ફસાવ્યા.


આ મામલો છત્તીસગઢના બિલાસપુરમાં સામે આવ્યો હતો. ઘડપણમાં લગ્ન કરવાની સનક 77 વર્ષના એક શખ્સને મોંઘી પડી ગઈ. તેણે જાહેરાત આપી. જે જોઈને 45 વર્ષની એક મહિલા સામે આવી. તેણે બુઝુર્ગ સાથે મળીને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. 4 ડિસેમ્બરે મુખ્યમંત્રી વિધવા અને પરિત્યક્તા યોજના અંતર્ગત તેમના લગ્ન થયા. થોડા-થોડા દિવસો કરીને દુલ્હન પતિ સાથે રહી અને એક દિવસ 40 લાખનો સામાન લઈને ફરાર થઈ ગઈ. પીડિતે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે, તે લુટેરી દુલ્હન 1-2 નહીં, 10 લોકોને આવી રીતે ઠગી ચુકી છે. આ વખતે ઠગીનો શિકાર બનેલા સરકંડાના એમએલ પસ્ટારિયા, જે ખાદ્ય અને નાગરિક આપૂર્તિ વિભાગના નિવૃત અધિકારી હતા. આગળ વાંચે પટિયાલાની લુટેરી દુલ્હન વિશે…


આ લુટેરી દુલ્હન પંજાબના પટિયાલામાં સામે આવી હતી. જેનો પર્દાફાશ ચોથા લગ્ન બાદ થયો હતો. નાભાના સમલા ગામમાં રહેતા જગદીપ સિંહે 2018માં મનપ્રીત કૌર સાથે લગ્ન કર્યા હતા. મનપ્રીત ડેરાબસ્સીના ડકૌલી ગામમાં રહેતી હતી. પરંતુ 15 દિવસ બાદ બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો. પતિએ પોલીસના ચક્કરથી બચવા માટે એક લાખ રૂપિયામાં સોદો કર્યો અને પોતાના પીછો છોડાવ્યો. પરંતુ જગદીપને મનપ્રીતની નિયત પર શક થયો. તેણે જ્યારે જાસૂસી કરી તો, ખબર પડી કે મનપ્રીત એક લુટેરી દુલ્હન છે. બાદમાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ દગાબાજીમાં આખો પરિવાર સામેલ રહેતો હતો. આગળ વાંચો હરિદ્વારની કહાની…


આ મામલે ઉત્તરાખંડના હરિદ્વારમાં સામે આવ્યો હતો. પોલીસે એક એવી લુટેરી દુલ્હનની ધરપકડ કરી હતી, જે પોતાના પતિના ઈશારા પર લગ્ન કરતી હતી. બંને ખુદ ભાઈ-બહેન તરીકે સામે આવતા હતા. તેમું સાચું નામ અંજલિ અને મહાવીર છે. અંજલિ પોતાનું નામ બદલીને એટલે કે પૂજા બનીને ચંડીગઢના યુવકને મળી હતી. જે બાદ બંનેએ 18 ડિસેમ્બર, 2019ના લગ્ન કરી લીધા હતા. જે બાદ બંને હરિદ્વાર આવ્યા હતા. બંને એક હોટેલમાં રોકાયા હતા. જે બાદ અંજલિ મોકો જોઈને 50 હજાર રૂપિયા અને ઘરેણા લઈને ભાગી ગઈ હતી. આગળ વાંચો કડવાચોથ પર ભાગી લુટેરી દુલ્હન…


આ મામલો રાજસ્થાનના જોધપુરમાં સામે આવ્યો હતો. વિક્રમાદિત્ય વિસ્તારમાં રહેતા વિજયના લગ્ન એપ્રિલ 2019માં પાલી જિલ્લાની લલિતા સાથે થયા હતા. લગ્ન બાદ બધુ સરખું હતું. પરંતુ કડવાચોથ પર બધુ વેરવિખેર થઈ ગયું. ઘરેથી ઘરેણા વગેરે લઈને ભાગ્યા બાદ લલિતાએ પ્રેમી સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. જેમાં તેણે વિજયને સંબોધિત કરીને એ શખ્સને પોતાનો પતિ ગણાવ્યો. જો કે સામે આવ્યું છે કે લલિતા પહેલા પણ બે લગ્ન કરી ચુકી હતી.

You cannot copy content of this page