‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કેરેક્ટર્સના માધ્યમથી દેશભરમાં જાણીતા થનારા કલાકારોની પર્સનલ લાઈફ પણ ફેમસ છે. શો માં ભીડેની પત્ની એટલે કે માધવી ભાભીનો રોલ પ્લે કરનારી સોનાલિકા જોશીની રીલ અને રિયલ લાઈફ હંમેશા લોકો જાણવા માંગે છે.
સોનાલિકાએ બુધવારે પોતાના લગ્નને લઈને પોસ્ટ કરી. તેણે જણાવ્યું કે અમારા લગ્નને 19 વર્ષ થઈ ગયા. એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર સોનાલિકા ઉર્ફ માધવી ભાભીએ પોતાના પતિ સમીર જોશી સાથે તસવીર શેર કરી.
ફોટોમાં 19 વર્ષ પહેલા થયેલા લગ્નમાં બંને પતિ-પત્નીના અવતારમાં છે. ફોટોમાં સોનાલિકાનું સ્મિત દેખાઈ રહ્યું છે. બંને મરાઠી સ્ટાઈલ કપલમાં સરસ લાગી રહ્યા છે.
આ પોસ્ટ સાથે સોનાલિકાએ લખ્યું છે કે-આપણને એકસાથે 19 વર્ષ થઈ ગયા. આ એ જ સ્મિત છે જે મારા ચહેરા પર દેખાય છે. આવનારા વર્ષોમાં આપણે એકબીજાને વધારે જાણીશું અને સમજીશું જે આપાણી યાદો બની શકે.
જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં માધવીનો કિરદાર નિભાવનારી સોનાલિકા ખૂબ જ ફેમસ છે. શોમાં તે ટ્યૂશન ટીચર આત્મારામ ભિડેની પત્ની બની છે. તેમની એક દિકરી છે જેનું નામ સોનૂ છે.
શોમાં માધવી ન માત્ર એક હાઉસ વાઈફ છે પરંતુ પોતાનો બિઝનેસ પણ ચલાવે છે. ઘરના ખર્ચમાં મદદ કરવા માટે તે અથાણા અને પાપડનો બિઝનેસ કરે છે.