અમદાવાદઃ ઉત્તર ભારતીયો માટે રોટલી રોજિંદા ભોજનનો અભિન્ન હિસ્સો છે. શાકભાજીથી લઈ દૂધ-ચા સાથે ખાતા હોય છે. જોકે, ઘણાં લોકો પેકેજ્ડ, સસ્તા બ્રેડ પણ ખાતા હોય છે. અલબત્ત, વાત જ્યારે સ્વસ્થ ભોજનની આવે તો રોટલી જ હંમેશા અવ્વલ રહે છે. વજન ઓછું કરવાની વાત આવે તો ઘણાં લોકો ભાત તથા રોટલી બંધ કરવાનું કરે છે. જોકે, આ વાત સાચીનથી. ભારતમાં મોટાભાગના રાજ્યોમાં ઘઉંની રોટલી સામાન્ય છે.
રોટલીના ફાયદાઃ રોટલીના અનેક કુદરતી લાભ છે. રોટલીમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્ર માટે સારું છે. રોટલીનો લોટ એકાદ કલાક પલાળી રાખીને પછી બનાવવામાં આવે તો પેટ માટે ઉત્તમ છે. રોટલીમાં અનેક પોષકતત્વો રહેલા છે.
વજન ઘટાડનાર ત્રણ પ્રકારની રોટલીઓઃ
થૂલું સાથે ઘઉંની રોટલીઃ ઘઉંની રોટલીમાં કાર્બ્સ, આયરન, નિયાસિન, વિટામિન બી6, થાયમિન તથા કેલ્શિયમ હોય છે, જ્યારે થૂલુંમાં ફાઈબર ભરપૂર હોય છે. બંનેને મિક્સ કરીને રોટલી બનાવવાથી મોટા આંતરડાની બીમારી રોકવામાં મદદ મળે છે, જે કબજિયાત, ઝાડા-ગેસ, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીશ તથા હાઈ બ્લડ પ્રેશરની સારવારમાં મદદરૂપ છે. આ લોટમાં વધુ ફાઈબર હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આને કારણે વજન ઘટે છે.
ચણાના લોટ સાથે મલ્ટીગ્રેન રોટલીઃ અનેક લોકો પાંરપરિક ઘઉંના લોટથી હેલ્થી રહેવા માટે મલ્ટીગ્રેન લોટને પસંદ કરે છે. મલ્ટીગ્રેન લોટમાં ચણાનો લોટ મિલાવવો, જેથી વજન ઝડપથી ઘટે છે. ચણામાં ઓછું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ હોય છે, જે શરીરમાં ખાંડની ધીમી ગતિથી કેલરી બર્ન કરવાની પ્રોસેસને ઝડપી કરે છે. નિયમિત રીતે મલ્ટીગ્રેન લોટમાં ચણાનો લોટ ઉમેરવાથી તેમાંથી પોષક મળે છે. તમે માત્ર ચણાના લોટની રોટલી બનાવીને બ્રેક ફાસ્ટમાં લઈ શકો છે.
દાળિયાની રોટલીઃ તમને ખ્યાન નહીં હોય પરંતુ બિહાર, ઝારખંડ તથા પ.બંગાળના કેટલાંક હિસ્સામાં દાળિયનો ઉપયોગ થાય છે. દાળિયાની રોટલી ટેસ્ટી તથા સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. દાળિયામાં પ્રોટિન હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમારે ભોજનમાં દાળિયાની રોટલી જરૂરથી લેવી જોઈએ.
નોંધઃ વિવિધ રોટલી ખાવાથી વજન ઉતારવા ઈચ્છો છો સાથે ડાયટ તથા વર્કઆઉટ પણ કરવું જરૂરી છે. આ ઉપરાંત મલ્ટીગ્રેન, થૂલું તથા દાળિયાની રોટલી માફક ના આવે તો એ લેવી નહીં.