Only Gujarat

Bollywood TOP STORIES

‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ સીરિયલમાં જેઠાલાલ બનશે વેવાઈ? જાણો કોણ છે વેવાણ

મુંબઈ: લોકોના ઘરોમાં ફેમસ થયેલી ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ સીરિયલમાં કલાકારો રોજ મસ્તી કરતાં જોવા મળે છે. આ ટીવી પર સૌથી લાંબા સમયથી ચાલનારા શોમાંથી એક છે પરંતુ હાલમાં આ જાણીતા પાત્રોના કારણે આ સીરિયલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જેઠાલાલ એટલે દિલીપ જોષીના જીવનમાં મુશ્કેલી આવતાં તેઓ ઘણીવાર મુશ્કેલીમાં મુકાઈ જતાં હોય છે. પરંતુ આ વખતે ભગવાને જેઠાલાલને ખુશ કરી દીધા હતાં. જેઠાલાલને આત્મારામ ભીડે એવી વાત કરી હતી કે એ વાત સાંભળીને જેઠાલાલ બધાંની હાજરીમાં પોતાના આસું રોકી શક્યા નહતાં.

‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ સીરિયલમાં પાત્ર ભજવનાર જેઠાલાલ સાથે આજ સુધી કોઈ દિવસ નથી બની તેવી ઘટના સામે બની હતી. જેઠાલાલ વેવાઈ બનવા જઈ રહ્યાં છે. તેવો એપિસોડ
સીરિયલમાં બતાવવામાં આવ્યો હતો જ્યારે આવા મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં.

સીરિયલમાં જેઠાલાલ જેની પર રોજ દુકાનમાં ગુસ્સે થતાં હતાં તે બાઘાએ શેઠને એક અંગૂઠી અપાવી છે. જેને લઈને જેઠાલાલની કિસ્મત ચમકવા લાગી હતી. ગુરૂવારે એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે, ટપુ સેના સોસાયટીના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી હતી તે દરમિયાન જેઠાલાલ ત્યાંથી પસાર થતાં જોવા મળ્યા હતાં.

ત્યારે જેઠાલાલે ટપુ સેનાને ધોનીનો ફેવરિટ હેલિકોપ્ટર શોટ્સ મારવાનું કહેતાં જ ટપુએ શોટ મારતાં જ સોસાયટીના સેક્રેટરી આત્મારામ ભિડેની બારીનો કાચ તુટી ગયો હતો ત્યાર બાદ જેઠાલાલ ટેન્શનમાં મુકાઈ જાય છે.

બારીનો કાચ તુટતા જ આત્મરામ ભીડે ગુસ્સે થઈ ગયા હતાં જોકે સાઈડમાં ઉભેલા જેઠાલા પર નજર પડે છે ને તરત જ આત્મારામનો ગુસ્સો એકદમ શાંત પડી જાય છે. ત્પયાર બાદ આત્મરામ ટપુના હેલિકોપ્ટર શોટના વખાણ કરતાં જોવા મળ્યાં હતાં અને ટપુ સેનાને રમવાનું કહ્યું હતું.

બારીનો કાચ તુટતા ગોકુલધામના તમામ લોકો નીચે આવી ગયા હતાં ત્યારે આત્મારામ જેઠેલાલ સાથે સાઈડમાં વાત કરતા જોવા મળ્યાં હતાં અને ભિડે સોનુ માટે જેઠાલાલ પાસે ટપુનો હાથ માંગે છે. ત્યાર બાદ જેઠાલાલનો ચહેરો જોવા જેવો હતો. આ સમાચાર સાંભળીને જ જેઠાલાલ ખુશ થઈ ગયા હતાં.

બન્ને વચ્ચે ચર્ચા થયા બાદ જેઠાલાલ અને આત્મારામે બન્નેના સંબંધ નક્કી કરી લીધા હતાં પરંતુ ગોકુલધામમાં જાહેર કર્યું નહતું. હાલ બંન્ને નાના છે પણ મોટા થયા બાદ આપણે તે બન્ને લગ્ન કરાવીશું તેવું નક્કી કરવામાં આવ્યું હતું. બન્ને વચ્ચે સંબંધ નક્કી થતાં જેઠાલાલ બહુ જ ખુશ થઈ ગયા હતા અને આંખમાંથી આસું આવી ગયા હતાં. ત્યાર બાદ આત્મારામે જાહેરમાં જેઠાલાલને સોરી કહીને માફી પણ માગી હતી ત્યારે જેઠાલાલ ગદગદીત થઈ ગયા હતાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page