Only Gujarat

Bollywood

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના 24 દિવસ બાદ પણ સદમામાં છે અંકિતા લોખંડે

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી તેના નજીકના લોકોને ઉંડો આઘાત લાગ્યો છે, તેઓને હજુ સુધી આ વાત પર વિશ્વાસ નથી થઇ રહ્યો કે સુશાંત હવે આ દુનિયામાં નથી. સુશાંતની કમી બોલીવૂડ તથા તેના પરિવારમાં હંમેશા રહેશે. તેમના મૃત્યુને 24 દિવસ થઇ ગયા છતા તેના ચાહકો હજુ તેમને ભૂલી શક્યા નહીં. સુશાંતે 14 જુને ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. એક્ટરના નિધન બાદ તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે આઘાતમાં સરી પડી છે. હવે એક્ટ્રેસની હાલતને લઇને ગોવિંદાની ભાણેજ આરતી સિંહે વાત કરી છે.

અંકિતાને ક્યાં ખબર હતી કે એક દિવસ સુશાંત બધાને આવી રીતે અચાનક છોડી જતા રહેશે. સુશાંતના મૃત્યુએ અંકિતાને એટલી અંદરથી તોડી નાખી છે કે હજુ સુધી તે બહાર આવી શકી નથી. અંકિતાની મિત્ર ગોવિંદાની ભાણેજ અને બિગબોસ 13 ફેમ આરતી સિંહે હાલમાં જ અંકિતા લોખંડે સાતે મુલાકાત વિશે વાત કરી.

એક ઇન્ટરવ્યૂમાં આરતીએ જણાવ્યું કે તે સુશાંતને અંકિતાના માધ્યમથી ઓળખતી હતી. તે ખુબ જ સારા માણસ હતા અને લોકોને હંમેશા મોટિવેટ કરતા રહેતા હતા. સુશાંતના મૃત્યુ બાદ આરતીએ અંકિતાને કોલ કર્યો હતો.

આરતીએ જણાવ્યું કે અંકિતા હજુ ઉંડા આઘાતમાં છે. તે થોડા સમય માટે એકલી રહેવા માગે છે. તેને આઘાતમાંથી બહાર આવવા માટે થોડા સમયની જરૂર છે. આરતીએ જણાવ્યું કે અંકિતાને થોડો વધુ સમય આપવો જોઇએ.

સુશાંત અને અંકિતાની પ્રથમ મુલાકાત એકતા કપૂરના ટીવી શો પવિત્ર રિસ્તાના સેટ પર થઇ હતી અને ત્યાંથી જ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. સુશાંત અને અંકિતા અંદાજે 6 વર્ષથી રિલેશનશિપમાં રહ્યાં. પરંતુ કોઇ પર્સનલ કારણના લીધે બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું.

સુશાંત અને અંકિતાને લઇને કહેવામાં આવે છે કે તે બંને તો લગ્ન કરવાના હતા પરંતુ હવે તે ભુતકાળ થઇ ગયો છે.

હાલ સુશાંતના મૃત્યુ અંગે મુંબઇ પોલીસ તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં અંદાજે 35 લોકોનું નિવેદન નોંધવામાં આવી ચૂક્યું છે. હાલમાં જ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની પણ આ મામલે પુછપરછ કરવામાં આવી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page