સુશાંત સિંહ રાજપુતના પૈસા ખર્ચ કરતી હતી ગર્લફ્રેન્ડ, પોલીસના હાથે લાગ્યા પુરાવા
સૂશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસની તપાસને એક મહિનાથી વધુ સમય થઇ ગયો છે. 35 લોકોની પુછપરછ છતા પોલીસ હજુ કારણ જાણી શકી નથી. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ સૂશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના ટ્રાન્જેક્શનની તપાસ કરી રહી છે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે આ મામલામાં ફિલ્મ મેકર કરણ જોહરની પુછપરછની સંભાવના નહિવત છે.
રિપોર્ટ પ્રમાણે પોલીસ તપાસમાં પૂરાવા મળ્યા છે કે રિયાએ સૂશાંતના પૈસા ખર્ચ કરી રહી હતી. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે તેણીએ કેટલા રૂપિયા ખર્ચ કર્યા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે લોકોની પુછપરછ કરવામાં આવી છે તેમાં કોઇએ પણ કરણ વિરુદ્ધ નિવેદન આપ્યું નથી. સૂશાંતના મૃત્યુ બાદથી જ કરણ જોહર સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે. તેના પર યૂઝર્સ નેપોટિઝમને પ્રમોટ કરવાનો આરોપ લગાવી રહ્યાં છે.
ટાઇમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે સૂશાંતની બહેન મીતૂને પુછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. પોલીસ તેને સૂશાંતની પર્સનલ લાઇફ, ખાસ કરી રિયા ચક્રવર્તી સાથે સંબંધ અંગે જાણવા માગે છે. સૂશાંતના ડિપ્રેશનની સારવાર કરી રહેલા ડોક્ટરને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી શકે છે.
સૂશાંતના કૂક નીરજ એ લોકોમાંથી એક છે જેમની પોલીસે પૂછપરછ કરી છે. પોલીસ ફરી એકવાર તેમનું નિવેદન લઇ એવું સમજવા માગે છે કે સૂશાંતના સૂસાઇડ પહેલા શું શું થયું હતું.
સૂશાંતના ફેન્સ, પરિવાર, મિત્રો, ભાજપા સાંસદ રૂપા ગાંગુલી અને એક્ટર શેખર સુમન બાદ ભાજપા નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ સીબીઆઇ તપાસની માગ કરી છે. તેઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી દખલ દેવાની માગ કરી છે. સ્વામીએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીના અનેક મોટા લોકો આ મામલે પ્રેશર બનાવવા માટે દુબઇના ડોનના સંપર્કમાં છે.
પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટમાં સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે સૂશાંતનું મૃત્યુ ફાંસી લાગ્યા બાદ શ્વાસ રૂંધાવાથી થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે સૂશાંત ડિપ્રેશનમાં હતા પરંતુ ડિપ્રેશનનું કારણ શું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.
સુશાંતનાં ફેન્સ અને અમુક રાજકીય અને મનોરંજન જગતનાં લોકો તરફથી સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં પૂર્વ સાંસદ પપ્પૂ યાદવે પણ ગૃહમંત્રી અમિતશાહને ચિઠ્ઠી લખી હતી, જેનો જવાબ આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે પપ્પૂ યાદવના પત્રને આગળ વધારતાં જાણકારી આપી છે, જેને ટ્વીટર પર શેર કરી છે. પપ્પૂ યાદવે ટ્વીટ કરતાં લખ્યું છે કે, અમિત શાહજી તમે ઈચ્છો તો એક મિનિટમાં સુશાંત મામલાની CBI તપાસ થઈ શકે છે. તેને ટાળો નહી. બિહારનાં ગૌરવ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત જીના સંદિગ્ધ મોતની CBI તપાસ માટે કેન્દ્રીય ગૃહમંત્રીજીને પત્ર લખવાનો આગ્રહ કર્યો છે. તેમણે કાર્યવાહી માટે અગ્રસારિત કર્યા છે.