સુશાંતની મેનેજર દિશાના મોતનું કારણ શું હતું? સામે આવ્યો ચોંકાવનારો પોસ્ટમોર્ટમ રિપોર્ટ
સુશાંત રાજપૂતની એક્સ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુને લઇને છેલ્લા કેટલાક દિવસથી અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી. દિશાના મૃત્યુને અત્યારસુધી આપઘાત માનવામાં આવતો હતો પરંતુ સુશાંતના મૃત્યુ બાદ દિશાનું ક્નેક્શન એક્ટરના મૃત્યુ સાથે જોડવામાં આવી રહ્યું છે.
હાલમાં જ ભાજપના નેતાએ અનેક ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, દિશા અને સુશાંત બંનેની હત્યા થઇ છે. આ પાછળ કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે દિશા સાલિયાનના પોસ્ટમોર્ટમ રિપોર્ટને છૂપાવવામાં આવ્યો છે. હાલ દિશાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે.
દિશાનું મૃત્યુ 9 જુનની રાતે 2 વાગ્યાની આસપાસ થયું પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બે દિવસ બાદ એટલે કે 11 જુને આવ્યો હતો. આ પહેલા સવાલ એ થાય છે કે શું કારણ હતું કે બોરીવલી પોસ્ટમોર્ટમ સેન્ટર પર ઓટોપ્સી બે દિવસ મોડી કરવામાં આવી ?
ઓટોપ્સીના જણાવ્યા પ્રમાણે માથામાં ઇજા થવાથી અને અનેક પ્રકારની અપ્રાકૃતિક ઇજા દિશાના મૃત્યુનું કારણ હતું. દિશાનું મોતનું કારણ ઇજા થવાથી કહેવામાં આવી રહ્યું છે કારણ કે તે 14માં માળેથી પડી ગઇ હતી.
ભાજપા સાંસદ નારાયણ રાણે દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે દિશાનું શોષણ કરવામાં આવ્યું હતું. પછી તેનું મર્ડર કરવામાં આવ્યું. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ છે કે દિશા પડી જવાથી મલ્ટીપલ ઇન્જરી થઇ હતી. તેની સાથે કોઇ પ્રકારના ફિઝિકલ અલોસ્ટ થયા નથી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મલ્ટીપલ ઇન્ઝરીઝની વાત કરવામાં આવી છે જે તેને 14માં માળેથી પડવાને કારણે થઇ હતી. ક્યાય પણ પ્રાઇવેટ પાર્ટમાં ઇજાની વાત સામે આવી નથી. સોશિયલ મીડિયા પર આ પ્રકારની કોન્સપાયરેસી થિયેરી જાહેર કરવામાં આવી હતી કે દિશાના મૃત્યુનું ક્યાંકને ક્યાંક સુશાંના મૃત્યુ સાથે ક્નેક્શન છે.
આ તમામ થિયેરીના કારણે પણ બે બંનેના મૃત્યુ એક સપ્તાહના સમયમાં જ થયા. દિશાનું મૃત્યુ 9 જુને થયું જ્યારે સુશાંતનું મૃત્યુ 14 જુને થયું. મુંબઇ પોલીસના જણાવ્યા પ્રમાણે દિશા કામના તણાવ હોવાને કારણે સુસાઇડ કર્યું હતું જેનું સુશાંતના કેસ સાથે કોઇ લેવાદેવા નથી.
ઉલ્લેખનીય છે કે ભાજપા નેતા નારાયણ રાણેએ દિશાના મૃત્યુનું સીધું સુશાંત સાથે ક્નેક્શન હોવાનું જણાવ્યું હતું. તેઓએ આરોપ લગાવ્યો હતો કે દિશાની સાથે પહેલા ખોટું કરવામાં આવ્યું પછી તેની હત્યા કરવામાં આવી.