Only Gujarat

Bollywood FEATURED

પોપટલાલને લાત મારીને ‘તારક મહેતા’માંથી હાંકી કઢાયા હતા, આ એક ભૂલ પડી હતી ભારે

મુંબઈઃ ફૅમસ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ અત્યારે તેના નવા એપિસોડ સાથે કાસ્ટમાં પણ ઘણાં બદલાવ કરવાને લીધે ચર્ચામાં છે. આ સિરિયલ ગોકુલધામ સોસાયટી વાસીઓની જિંદગીમાં આવનારા ટ્વિસ્ટ અને ટર્ન દ્વારા દર્શકોનું ખૂબ જ મનોરંજન કરાવે છે. તો આ સિરિયલની ખાસ વાત છે કે, અહીં દેખાતાં દરેક એક્ટરની અલગ-અલગ ફેન ફોલોઇંગ છે. એવામાં તમને જાણીને નવાઇ લાગશે કે સિરિયલમાં પોપટલાલનો રોલ પ્લે કરનાર શ્યામ પાઠકને એકવાર સિરિયલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યાં હતાં. મીડિયા રિપોર્ટ્સ મુજબ તો આ બધુ શ્યામની એક ભૂલને લીધે થયું હતું.

શ્યામ પાઠક, ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલમાં પોપટલાલનો રોલ પ્લે કરે છે. આ રોલમાં તે પ્રેસ રિપોર્ટર છે, જેના લગ્ન અત્યાર સુધી થયાં નથી.

એક રિપોર્ટ મુજબ, કેટલાક મહિના પહેલાં તેમને મેકર્સને સિરિયલની બહારનો રસ્તો દેખાડી દીધો હતો.

વર્ષ 2017માં સિરિયલમાં જેઠાલાલનો રોલ પ્લે કરનારા દિલીપ જોશી એક કાર્યક્રમમાં પર્ફોમન્સ આપવા લંડન ગયાં હતાં. જ્યાં તેમણે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના કેટલાક ફેન્સ મળ્યા અને ફેન્સે દિલીપ જોશીને રિક્વેસ્ટ કરી કે તેઓ પોપટલાલ સાથે કોઈ એક્ટ કરે.

ફેન્સની રિક્વેસ્ટ પર દિલીપ જોશીએ શ્યામ પાઠકને લંડન આવવા માટે ફોન પર પૂછ્યું અને શ્યામ તરત જ તૈયાર થઈ ગયો.

જ્યારે તે લંડન માટે રવાના થયા ત્યારે શ્યામ પાઠકે એક ભૂલ કરી દીધી. તેમણે લંડન જતી વખતે સિરિયલના મેકર્સને જાણકારી આપી નહીં.

એવામાં જ્યારે શ્યામ લંડનથી પાછા આવી રોજની જેમ સેટ પર પહોંચ્યા તો તેમને જોઈ બધા હેરાન રહી ગયાં અને તેમને સિરિયલની બહારનો રસ્તો બતાવી દીધો.

રિપોર્ટ મુજબ શ્યામ આ સાંભળી ખૂબ જ ડરી ગયાં હતાં. એવું કહેવામાં આવે છે કે, તેમને 4 દિવસ સુધી સિરિયલની બહાર રાખવામાં આવ્યાં હતાં.

આ પછી શ્યામે સિરિયલની આખી ટીમ અને નારાજ પ્રોડ્યુસર્સ પાસે માફી માંગી ત્યારે તેમની સિરિયલમાં ફરી એન્ટ્રી થઈ.

ઉલ્લેખનીય છે કે, પોપટલાલનો રોલ પ્લે કરી તેમને દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.

તો, સિરિયલમાં અવિવાહિતનો રોલ પ્લે કરનારા શ્યામ રિઅલ લાઇફમાં ન માત્ર પરિણિત છે પણ 3 બાળકોના પિતા પણ છે.

You cannot copy content of this page