Only Gujarat

Gujarat TOP STORIES

મહિલા PSIએ ક્વાર્ટરમાં રૂમમાં રિવોલ્વરથી ગોળી મારીને કરી આત્મહત્યા, જુઓ તસવીરો

સુરત: ગુજરાતમાં કોરોના મહામારીના માહોલ વચ્ચે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના મહિલા PSIએ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. મહિલા પીએસઆઈ અનિતા જોશીએ પોતાના રહેણાંક ક્વાર્ટર ખાતે આપઘાત કરી લીધો હતો. મહિલા પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારીને આપઘાત કર્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. મહિલા પીએસઆઈના આપઘાતના પગલે સુરત પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ અનિતા જોશી પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતાં અને હાલ તેઓ ફાલસાવાડી ખાતે રહેતા હતાં. પરિણીત અનિતા જોશીને એક બાળક પણ છે. અનિતા જોશીના આપઘાતના પગલે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. મહત્વની વાત એ છે કે, પરણિત મહિલા PSIએ મેરેજ એનિવર્સરીના દિવેસ જ આત્મહત્યા કરી લીધી હતી.

ઉધના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈએ આપઘાત પહેલા એક સુસાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે, જીવવું અઘરૂં છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી. જોકે હાલ એવું જાણવા મળી રહ્યું છે કે, મહિલા પીએસઆઈ અને પતિ વચ્ચે ફોનમાં ઝઘડો થયો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઉધના પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પરિણીત અનિતા જોશીએ આત્મહત્યા કરી લેતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મૃતક પીએસાઈ પરિણીત છે અને એક બાળકની માતા છે. મહિલા પીએસઆઈએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. આ ઘટના સર્જાઈ ત્યારે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.

મહિલા પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી કેમ આપઘાત કર્યો તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ મૃતક પીએસઆઈના ઘરે પોલીસ કાફલો જોવા મળ્યો હતો.

You cannot copy content of this page