Only Gujarat

Gujarat TOP STORIES

કરોડોની સંપત્તિનું દાન કરીને ગુજરાતનો આ પરિવાર લેશે દીક્ષા, જાણો સંપત્તિ કોને આપશે દાનમાં?

સુરતઃ ડાંયમંડ નગરી સુરતમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી આત્માના સુખ માટે લોકો અનેક લોકો પોતાની લક્ઝુરિયસ લાઈફ છોડીને સંયમના માર્ગે દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે. ત્યારે હવે સુરતના એક ડાયમંડ બિઝનેસમેને પોતાની તમામ સંપતિ વેચીને પત્ની અને બે પુત્રીઓ સાથે સંયમના માર્ગે જવાનો નિર્ણય કર્યો છે. જે હાલ સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મૂળ બનાસકાંઠાના સુઈ ગામના વતની અને હાલ સુરતમાં રહેતા ડાયમંડ બિઝનેસમેન વિજય મહેતા છેલ્લા 20 વર્ષથી હીરાના બિઝનેસમાં જોડાયેલા છે. કરોડો રૂપિયાનો વેપાર અને લક્ઝુરિયસ લાઈફને ત્યાગીને આ સુરતી પરિવાર હવે સંયમનો માર્ગ અપનાવી દીક્ષા લેવા જઈ રહ્યો છે.

સંયમનો માર્ગ અપનાવતા પહેલા બિઝનેસમેન વિજય મહેતાએ પોતાની તમામ સંપતિ વેંચીને તેને ગરીબોમાં ડોનેટ કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, વિજય મહેતાની એક પુત્રીએ બે વર્ષ પહેલા લક્ઝુરિયસ લાઈફ છોડીને સાંસારિક સુખનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવ્યો હતો.

પહેલી દીકરી દીક્ષા લે પહેલા વિજય મહેતા પરિવાર સાથે ભારતના દરેક રાજ્યમાં ફરી આવ્યા હતાં. છેલ્લે તેઓ બંને દીકરી અને પત્ની સાથે દુબઈ અને શાહજહાં પણ જઈ આવ્યા હતાં.

હવે વિજય મહેતા પરિવાર સાથે 29 જાન્યુઆરીએ પાલ વિસ્તારમાં બે પુત્રી અને પત્ની સાથે દીક્ષા લઈને સંસારિક જીવનો ત્યાંગ કરી સંયમના માર્ગે આગળ વધશે તેવું જાણવા મળ્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page