Only Gujarat

International

અહીં થોડો સમય પણ વધુ ઊભા રહી ગયા તો સમજો ગુમાવ્યો જીવ!

વિશ્વમાં એવી ઘણી અજાયબ જગ્યાઓ છે, જ્યાં અનેક રહસ્યો ધરબાયેલા છે. આ રહસ્યોની જાણ આજ સુધી વૈજ્ઞાનિકોને પણ થઈ નથી. ઘણાં સ્થળો પોતાની અદૃશ્ય શક્તિઓને કારણે લોકપ્રિય છે તો કોઈ અજાણી વાતને કારણે લોકપ્રિય છે. પ્રાચીન ગ્રીકમાં આવી જ અનેક વાતોનો ભંડાર છે. અહીંયા ઘણી એવી વાતો છે, જેના પર તમે વિશ્વાસ કરી શકો નહીં.

નર્કનો રસ્તોઃ ગ્રીકનું એક મંદિર આવી જ અદ્દભૂત વાતો માટે જાણીતું છે. અહીંયાના લોકો માને છે કે આ મંદિરની આસપાસ ખરાબ શક્તિઓનો વાસ છે. આથી અહીંયા જે લોકો વધુ સમય રોકાય છે, તેમનું મોત થઈ જાય છે.

સ્થાનિક લોકોના મતે, છેલ્લાં ઘણાં વર્ષોથી અહીંયા ઘણાં જાનવરો મરી ગયા છે અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લોકો આ જગ્યાને નરકનો રસ્તો કહે છે. આ જ ડરથી લોકો આ મંદિરની આસપાસ ભૂલથી પણ આવતા નથી.

વૈજ્ઞાનિકોએ ચોંકાવનારી વાત કહીઃ હાલમાં જ અનેક વૈજ્ઞાનિકોને અનેક લોકો-પશુઓ માર્યા ગયા હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ રિસર્ચ કરવામાં આવ્યું હતું અને જે વાત સામે આવી તે ઘણી જ આશ્ચર્યજનક હતી.

વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે છેલ્લાં થોડાં વર્ષોમાં અહીંયા જે પણ મોત થયા તે ભૂત-પ્રેતને કારણે નહીં, પરંતુ એક વિશેષ ગેસથી થયા હતા.આ એરિયામાં આ ગેસ વધુ માત્રામાં છે. આ ગેસ કાર્બનડાયોક્સાઇડ સમાન છે અને તેથી જ તે શ્વાસમાં વધુ માત્રામાં ભળી જતા વ્યક્તિ કે પશનું મોત થઈ જાય છે.

સાચી વાત જાણીને લોકો નવાઈમાં મૂકાયાઃ આ જ કારણે અહીંયા જે લોકો પણ વધુ સમય રોકાતા, તેમનું મોત થઈ જતું હતું. વૈજ્ઞાનિકો હાલમાં આ અંગે વધુ રિસર્ચ કરી રહ્યા છે, પરંતુ અત્યારે જ વાત સામે આવી તેનાથી લોકો હેરાન છે.

 

You cannot copy content of this page