મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન 61 વર્ષના થઈ ગયાં છે. 29 ઑગસ્ટ, 1959એ જન્મેલા નાગાર્જુને વર્ષ 1986માં ફિલ્મ ‘વિક્રમ’થી ડેબ્યુ કર્યું હતું. બોલિવૂડમાં તેમને ફિલ્મ ‘શિવા’માં પહેલીવાર કામ કર્યું હતું. લગભગ 90થી વઘુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા નાગાર્જુને બે લગ્ન કર્યાં છે. તેમની પહેલાં લગ્ન વર્ષ 1984માં લક્ષ્મી દગ્ગુબતી સાથે થયાં હતાં. જોકે, લગ્નના 6 વર્ષ પછી જ વર્ષ 1990માં બંનેના છૂટાછેડા થયાં હતાં.
રિપોર્ટ્સ મુજબ, 80 અને 90ના દશકમાં નાગાર્જુન તે સમયે એન્ગ્લો-ઇન્ડિયન એક્ટ્રસ અમાલા મુખર્જી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. કહેવામાં આવે છે સાથે સાથે કામ કરતાં નાગાર્જુન અને અમાલાને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. આ વાતની જાણ તેમની પહેલી પત્ની લક્ષ્મીને થતાં મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો.
આ પછી નાગાર્જુને પણ સ્પષ્ટ કહી દીધું હતું કે, તેમનો સાચો પ્રેમ અમાલાના રૂપમાં મળી ચૂક્યો છે અને હવે તેમની સાથે લગ્ન કરશે. અમાલાએ વર્ષ 1986માં આવેલી તેલુગુ ફિલ્મ ‘મૈથિલી એન્નઈ કાથલી’થી ડેબ્યુ કર્યું હતું. જોકે, વર્ષ 1992માં નાગાર્જુન સાથે લગ્ન પછી અમાલાએ એક્ટિંગ છોડી દીધી હતી.
અમાલાએ મૉડેલ તરીકે તેમના કરિયરની શરૂઆત કરી હતી. એવામાં તે ઘણીવાર સેટ પર ટાઇમે પહોંચી જતી હતી. એકવાર અમાલા શૂટિંગ માટે સેટ પર તેમની વેનિટી વેનમાં બેસેલી હતી અને આ દરમિયાન નાગાર્જુન તેમને સરપ્રાઇઝ આપવા માટે ત્યાં પહોંચી ગયાં હતાં.
જોકે, નાગાર્જુને જોયું કે અમાલા ખુરશી પર બેસીને રડી રહી છે. આ અંગે નાગાર્જુને તેમને પૂછ્યું કે, ‘શું થયું છે?’, તે અમાલાએ જવાબમાં કહ્યું કે, ‘મારે ફિલ્મમાં જે કપડાં પહેરવાના છે તે ખૂબ જ વિચિત્ર છે અને હું તે પહેરવા માગતી નથી.’
આ વિશે નાગાર્જુને અમાલાને કહ્યું, ‘હું ડિરેક્ટર સાથે વાત કરું છું. આ પછી તેમણે ડિરેક્ટરને કહી અમાલાના કપડાં ચેન્જ કરાવી દીધા હતાં. નાગાર્જુનના સપોર્ટને જોઈ અમાલાના દિલમાં તેમના માટે સોફ્ટ કોર્નર આવી ગયો.’
આ પછી નાગાર્જુન અને અમાલા બંને ઘણીવાર મળવા લાગ્યાં હતાં. એકવાર બંને કોઇ ફિલ્મ બાબતે યૂએસમાં હતાં. ત્યારે નાગાર્જુને અમાલાને પ્રપોઝ કરી દીધું હતું. પછી જૂન 1992માં ચેન્નઇમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં બંનેએ લગ્ન કરી લીધા હતાં. તેમના લગ્નમાં સાઉથ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા સ્ટાર આવ્યાં હતાં. કેટલાક ફેમિલિ મેમ્બર્સ અને ક્લોઝ ફ્રેન્ડ્સની હાજરીમાં બંનેએ લગ્ન કરી લીધા હતાં.
લગ્નના બે વર્ષ પછી એપ્રિલ, 1994માં અમાલાએ દીકરાને જન્મ આપ્યો, જેનું નામ અખિલ રાખ્યું છે. અખિલની સગાઈ પહેલાં શ્રિયા ભૂપલ સાથે નક્કી કરવામાં આવી હતી, પણ પછી કેટલાક કારણોને લીધે તે સગાઈ તૂટી ગઈ હતી.
પહેલી પત્ની લક્ષ્મી દગ્ગુબતી અને નાગાર્જુને એક દીકરો છે, જેનું નામ નાગા ચૈતન્ય છે. નાગાનો જન્મ વર્ષ 1986માં થયો. નાગા ચૈતન્યના લગ્ન સાઉથ એક્ટ્રસ સમાંથા રુથ પ્રભુ સાથે થયાં છે. ઉલ્લેખનીય છે કે, નાગા ચૈતન્ય પણ સાઉથ ફિલ્મોના એક્ટર છે.
નાગાર્જુને અમાલા સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘દાદા’(1987), ‘ચિન્નાબાબૂ’(1987), ‘શિવા’(1989), ‘પ્રેમ યુદ્ધમ’(1989) અને ‘નિર્ણયમ’(1991) જેવી ફિલ્મો સામેલ છે.