મુંબઈઃ સુશાંત સિંહ રાજપુત નિધન પછી ગુરુવારે રિયા ચક્રવર્તીએ એક ઇન્ટરવ્યૂમાં ઘણાં ખુલાસા કર્યાં હતાં. રિયાએ સુશાંત કેસ સાથે જોડાયેલી ઘણી એવી જાણકારી આપી હતી જેને જાણી લોકો હેરાન પણ થયાં અને ઘણાં પ્રકારના સવાલ પણ ઉઠ્યાં. આ ઇન્ટરવ્યૂમાં રિયાએ સુશાંતના ડિપ્રેશન પર વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ‘સુશાંત જબરદસ્ત ડિપ્રેશનમાં હતો. તે ઘણાં સમયથી ખૂબ જ હેરાન રહેતો હતો.’
આ દરમિયાન સુશાંતના પૂર્વ કૂક અશોકે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે. અશોક એ જ કૂક છે જે અંગે દાવો કરવામાં આવ્યો હતો કે, તેને રિયાની લીધે જ કામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. હવે અશોકે રિયાના દરેક દાવાને ખોટા ગણાવ્યાં છે અને કહ્યું છે કે, ‘સુશાંત ડિપ્રેશનમાં જરૂર હતો, પણ તેમને તે પરિસ્થિતિમાં સતત રાખવામાં પણ આવ્યો હતો.’ તેણે કહ્યું કે, ‘જો કોઈ બીમારીને લીધે સૂતો હોય તો તેને જગાડો. તેને કંઇકલ કરવા માટે મોટિવેટ કરો. આવું કરવાથી તેને બીમારીની ફિલિંગમાંથી થોડાં સમય માટે છૂટકારો મળશે. પણ, જો તેને તમે સતત કહેતાં રહેશો કે તે બીમાર છે, તો તે શખ્સ ખુદને વધારે બીમાર સમજશે.’
સુશાંતના કૂકનો રિયા પર નિશાન
જ્યારે અશોકને પૂછવામાં આવ્યું કે રિયાને લીધે સુશાંત લાંબા સમય સુધી સ્વસ્થ થઈ શક્યો નહોતો. જેના પર અશોકે સ્પષ્ટ શબ્દોમાં રિયા પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે, ‘આ જ તો થયું છે. તમે એક વ્યક્તિને દવાઓ પર રાખ્યો છે. તે કદાચ સૂઈ રહ્યો છે અથવા બેડ પર પડ્યો છે. તે ક્યારેય કોઈ કામ કરતો નથી. તેને તે કંડિશનમાં રાખવામાં આવ્યો છે.’
આ દરમિયાન એવું પણ કહેવામાં આવ્યું કે, ગયાં વર્ષે અશોકને કામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. હવે કેસમાં તે એક મહત્ત્વનો ભાગ છે કેમ કે રિયા પર આરોપ છે કે, તેણે સુશાંતના સ્ટાફને સતત બદલ્યો હતો. આ વિશે અશોકે જણાવ્યું કે, ‘હું છેલ્લાં સપ્ટેમ્બર મહિનામાં નેપાળ ગયો હતો., ત્યાં મારું ઘર છે. હું ઓક્ટોબરમાં પાછો પણ આવ્યો હતો. તે સમયે તે લોકો કોઈ ટૂર પર ગયાં હતાં. મને પછીથી ખબર પડી કે સુશાંત સરે મને કામ પર રાખવાની ના પાડી દીધી છે. જ્યારે મેં જાણવાનો પ્રયત્ન કર્યો કે શું સરે મને કાઢી મૂક્યો છે કે કોઈ બીજાએ, ત્યારે મને જાણ થઈ કે રિયાએ મને કામ પર પાછો લેવાની ના પાડી દીધી છે. પછી મેં વાત કરવાનું છોડી દીધું.’
પાર્ટીમાં નહોતાં દેખાતા સુશાંતના ફ્રેન્ડ
અશોકે એમ પણ જણાવ્યું કે, તેમને આ માહિતી સૈમ્યુઅલ મિરાંડા પાસેથી મળી હતી. તેમણે તે વાત પર ભાર આપ્યો હતો કે, રિયાને લીધે તેમને બહાર કાઢવામાં આવ્યો હતો. તેમના મુજબ તે સુશાંતનાં ત્યાં ઘણાં સમયથી કામ કરતો હતો અને ઘણો સિનિયર પણ હતો. તે ઘરનું બધુ મેનેજ કરતો હતો. તો અશોકે તે પાર્ટીનો પણઉલ્લેખ કર્યો હતો જે સુશાંતના ઘરે કરવામાં આવતી હતી. અશોકે જણાવ્યું કે, ‘તે પાર્ટીઓમાં રિયાના ફ્રેન્ડ જરૂર હાજર રહેતાં હતાં, પણ સુશાંતના ફ્રેન્ડ હાજર રહેતાં નહોતા. તેમના મુજબ, જ્યાં સુધી રિયા સુશાંતના ઘરે નહોતી રહેતી, ત્યાં સુધી સુશાંતના તેમના ફ્રેન્ડ સાથે સારા રિલેશન હતાં.પાર્ટીઓમાં સુશાંતના ફ્રેન્ડ જોવા મળતાં હતાં. રિયા આવ્યા પછી બધુ બદલાઇ ગયું.’
કૂક અશોકે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે સુશાંતના પરિવારને કેમ મળવા દેવામાં નહોતો આવતો. અશોકે જણાવ્યા મુજબ રિયા એક્ટરને મળવા દેતી નહો. તેમણે એક કિસ્સો શેર કરતાં જણાવ્યું કે, ‘એકવાર દિલ્હીથી પ્રિયંકા આવી હતી સુશાંતને મળવા માટે. મીતૂ પણ સાથે હતી. તેમણે ફોન પર કહ્યું કે તે સુશાંતને મળશે અને મને પણ સાથે રહેવા કહ્યું હતું. મેં તેમની વાત માનવાની ના પાડી દીધી હતી, પણ જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે મીતૂએ સુશાંતને એક મેસેજ કર્યો હતો. તે મેસેજના જવાબાં સુશાંત તરફથી કહેવામાં આવ્યું કે તે વ્યસ્ત છે અને મળી શકશે નહીં.’
પરિવાર સાથે નહોતી મળવા દેતી-અશોક
હવે કૂક અશોકનું આ નિવેદન હેરાન કરનારું છે. તેમના મુજબ સુશાંતના ફોનથી બહેનને મેસેજ કરવામાં આવ્યો હતો કે, તે તેમને નહીં મળી શકે. અશોકે એમ પણ જણાવ્યું કે, તે દરમિયાન રિયા ચક્રવર્તી પમ હાજર હતી. એવામાં સવાલ છે કે, તે મેસેજ સુશાંત તરફથી લખવામાં આવ્યો હતતો કે, રિયાએ સુશાંતના ફોન પરથી લખ્યો હતો. આમ તો અશોકે એમ પણ જણાવ્યું કે, ‘આ કિસ્સા વિશે તેમને ઘરમાં કામ કરી રહેલાં કેશવ સાથે પણ વાત કરી હતી. અશોકે જણાવ્યા મુજબ, કેશવે તેમને જણાવ્યું હતું કે, જે સમયે સુશાંતની બહેન મળવા આવી હતી ત્યારે સુશાંત સૂતો હતો એવામાં ‘હું વ્યસ્ત છું મેસેજ કોણે લખ્યો હતો?’