સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ વિજયલક્ષ્મીએ માનસિક તણાવને કારણે સુસાઈડ કરવાનાં પ્રયાસો કર્યા હતા, પરંતુ સૌભાગ્યથી તેને બચાવી લેવામાં આવી છે. વિજ્યલક્ષ્મીએ આ પહેલાં ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં નાંખ્યા છે. જેમાં તેણે કહ્યુ હતુકે, સોશિયલ મીડિયાનાં કારણે તેને ઘણી બુલી કરવામાં આવી રહી છે. જેને કારણે તે ભારે તણાવમાં રહે છે. જ્યારે રવિવારે એક વીડિયો પોસ્ટ કર્યોકે, તેણે ઘણી બ્લડપ્રેશરની દવાઓ ખાઈ લીધી છે જેને કારણે તેનું બ્લડપ્રેશર ઓછું થઈ જશે અને તેનું મોત થઈ જશે, હાલમાં હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
ફેસબુક પર એક વીડિયો બનાવ્યો અને કહ્યું કે, હું ક્યારે પણ મરી જઈશ
તેણે ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો. તેણે કહ્યું, આ મારો છેલ્લો વીડિયો છે. છેલ્લા ચાર મહિનાથી સીમાન અને તેની પાર્ટીના લોકોના કારણે હું ઘણી તાણમાં છું.
મેં મારા પરિવાર માટે જીવંત રહેવાની કોશિશ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ એવું થઈ શકતું નથી. હરિ નાદરે મીડિયામાં મારું ઘણું અપમાન કર્યું છે. મેં બ્લડ પ્રેશરની ગોળીઓ ખાધી છે. કેટલાક સમયમાં, મારું બ્લડ પ્રેશર સંપૂર્ણ રીતે ઘટશે અને હું મરી જઈશ.
વિજયલક્ષ્મીએ એમ પણ કહ્યું કે તેમનું મૃત્યુ લોકો માટે એક ઉદાહરણ હોવું જોઈએ અને તેમણે તેના ચાહકોને અપીલ કરી હતી કે સીમાન અને હરિ નાદર જેવા લોકોને બક્ષવામાં ન આવે અને લોકોનું માનસિક શોષણ કરવા માટે તેમને કડક સજા મળે.
અહેવાલો અનુસાર વિજય લક્ષ્મી ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
જણાવી દઈએ કે સીમાન તામિલ રાષ્ટ્રવાદી પાર્ટીના નેતા છે, જ્યારે હરિ નાદર પણ રાજકીય પક્ષના છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં હરિએ નાંગુનેરી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાગ લીધો હતો પરંતુ તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.