સુશાંત સિંહ રાજપુતના કૂકે કર્યો સૌથી મોટો ખુલાસો, આપઘાત પહેલા ઘરમાં શું શું થયું હતું?
સુશાંતના હાઉસ કીપર નીરજ સિંહે પહેલીવાર મીડિયા સાથે વાતચીત જણાવ્યું કે એ દિવસે શું થયું હતું. નીરજે કહ્યું કે પહેલા 10-12 લોકો હતા. મે 2019માં જ્યારે તેણે જોઇન કર્યું ત્યાબાદથી કેટલાક લોકોને રિયા મેડમે કાઢી મૂક્યા અને કેટલાકને સુશાંત સરે. નીરજ એ વ્યક્તિ છે જે એ દિવસે ઘરે હાજર હતા જે દિવસે સુશાંતે આપઘાત કર્યો. નીરજે સુશાંતના મૃતદેહને પંખા પર લટકતો જોયો હતો. સુશાંતની બહેને તેના શરીરે પંખા પરથી ઉતારવાની વાત કરી હતી. ત્યારબાદ તેઓએ સુશાંતની બોડી પંખા પરથી ઉતારી અને ત્યાં સુધી સુશાંતની બહેન આવી ગઇ.
નીરજે કહ્યું કે સુશાંતનો દરવાજો લોક હતો અને તે અંદરથી જવાબ આપી રહ્યો ન હતો. ત્યારે સુશાંતની બહેનને ફોન કર્યો અને તે તુરંત ત્યાં પહોંચી રહી છે.તેણીએ ફોન પર કહ્યું કે દરવાજો ખોલવાનો પ્રયાસ કરો. લોક તોડનારા વ્યક્તિને બોલાવવામાં આવ્યો અને દરવાજો તોડવામાં આવ્યો પરંતુ દરવાજો ત્યાં સુધી ખોલવામાં ન આવ્યો જ્યાં સુધી લોક તોડનારો જતો ન રહ્યો.
તેઓએ જણાવ્યું કે પછી સિદ્ધાર્થે દરવાજો તોડ્યો અને તે સદમામાં હતો. તે અંદર ગયો અને ડરીને બહાર આવી ગયો. ત્યારે નીરજ સેમુએલે બોડીને પંખા પર લટકતો જોયો અને તેઓએ બોડીને પંખા પરથી ઉતાર્યો ત્યાં સુધીમાં તેની બહેન ત્યાં પહોંચી ગઇ.
નીરજે કહ્યું કે સુશાંતની છાતી દબાવી. પટ્ટો હટાવ્યો તો નિશાન હતું. તેઓએ કહ્યું કે સર અને રિયા મેડમ ખુશ હતા પરંતુ યુરોપ ટ્રીપ પર તેઓ ઠીક ન હતા.
રિયાએ નીરજને લોકાડાઉન દરમિયાન નોકરી છોડવાનું કહ્યું હતું કારણ કે તે કચરાવાળા સાથે માસ્ક વગર વાત કરી રહ્યો હતો આથી તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી. પરંતુ સરે કહ્યું કે ચીજોને ધ્યાનમાં રાખ્યા કરો. કોઇ વાંધો નહીં. એ દિવસે જ્યારે રિયા એક દોઢ વાગ્યે અંદાજે ગઇ હતી ત્યારે પાંચ વાગ્યે સુશાંતની બહેન આવી હતી અને તે ત્રણ દિવસ ત્યાં રહી હતી.
એક વખત અમે પૈસા માટે પુછ્યું તો હાઉસ મેનેજરે કહ્યું કે સર હાલ સાજા નથી આથી એડજસ્ટ કરો. એક મહિના બાદ સુશાંતને બાંદ્રાવાળા ફ્લેટ મળી ગયો અને તે બાંદ્રાવાળા ફ્લેટમાં જતો રહ્યો. ઘરનો માહોલ ઠીક હતો પરંતુ રિયા જો થોડી મિનિટ માટે પણ ક્યાંક જતી રહેતી તો સુશાંત જમવાનું જમતા ન હતા.
જ્યારે તે રિયાના ઘરે શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે તેમની કંઇક સારવાર ચાલી રહી હતી. તેને ખબર ન હતી કે શેની સારવાર ચાલી રહી છે. રિયાના ભાઇ શોનિકક આવતા-જતા રહેતા હતા. કેટલાક મિત્રો પણ આવતા જતા રહેતા જેના નામ ખબર નથી. બધા પાર્ટી કરતાં મસ્તી કરતા. નીરજે રિયાના કપડા પેક કર્યા કારણ કે આવું કરવાનું તેને કહેવામાં આવ્યું હતું અને પછી રિયા જતી રહી હતી.
તેણે કહ્યું કે સુશાંતે અમારી સાથે વાત કરી નથી. અમે વાત કરવાનો પ્રયાસ કર્યો તો સરે કહ્યું કે હું ઠીક છું. હું ખુશ છું. તેની બહેન 12 અથવા 13 જુને જતી રહી હતી. તેને તારીખ યાદ નથી. સુશાંત રિયાની સાથે એકથી દોઢ મહિના સુધી તેના ઘરે જ રહ્યાં.
13 જુને તેઓએ ડિનર કર્યું. તેઓએ મેંગો શેક માગ્યો હતો અને માત્ર તે જ પીધો. 14 જુને સુશાંત પોતાના રૂમમાથી બહાર આવ્યા તો તે સામાન્ય લાગી રહ્યાં હતા. ન તો ખુશ અને ન દુઃખી. બસ નોર્મલ . તેઓએ ઠંડું પાણી માગ્યું. નીરજે તેને પાણી આપ્યું અને સુશાંત સાથે તેની આ છેલ્લી વાતચીત હતી.
બ્રેકફાસ્ટ બાદ અમે તેને કંઇ પુછ્યું નહીં. પછી એક કલાક બાદ કુક લંચ માટે પુછવા ગયો પરંતુ સુશાંતે કોઇ જવાબ આપ્યો નહીં. કુક કેશવે જ્યારે બ્રેકફાસ્ટ માટે પુછ્યું તો તેઓએ કહ્યું કે હું નારિયલ પાણી, ઓરેન્જ જ્યુસ અને કેળું ખાઇશ. બાદમાં સરે માત્ર નારિયલ પાણી અને જ્યુસ લીધું. કીધું કે કેળું બાદમાં ખાઇશ. 14 જુને તેઓ અસ્વસ્થ લાગી રહ્યાં હતા પરંતુ મને ખબર ન હતી કે તેઓ કઇ વાતને લઇને તણાવમાં હતા.