Only Gujarat

FEATURED National

બે વર્ષ પહેલા શ્રીદેવીના મૃત્યુ પર ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા હતા અમર સિંહ પછી…..

અમર સિંહનું સિંગાપુરની એક હોસ્પિટલમાં સારવાદ દરમિયાન મૃત્યું થઇ ગયું છે. અમર સિંહ અંદાજે ચાર મહિનાથી સિંગાપુરની એક હોસ્પિટલમાં પોતાની કિડનીની સારવાર કરાવી રહ્યાં હતા. અમર સિંહ એવા રાજકારણીઓમાંથી એક હતા જેની બોલીવૂડ સેલેબ્સ સાથે સારી મિત્રતા હતી. બોની કપૂર અને શ્રીદેવી સાથે અમરસિંહના સારા સંબંધ હતા. સંબંધ એટલા સારા હતા કે જ્યારે શ્રીદેવીનું નિધન થયું તો અમર સિંહ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યાં હતા. અમર સિંહે આ માટે બોની કપૂર અને પોતાને જવાબદાર ગણાવ્યા હતા.

24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઇની એક હોટલના બાથરૂમમાં ડૂબી જવાથી શ્રીદેવીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ એક ઇન્ટરવ્યૂમાં અમર સિંહે કહ્યું હતું કે આ દુર્ઘટનાના થોડા સમય પહેલા સુધી તે શ્રીદેવી અને બોની કપૂર સાથે જ હતા.

24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઇની એક હોટલના બાથરૂમમાં ડૂબી જવાથી શ્રીદેવીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ એક ઇન્ટરવ્યૂમાં અમર સિંહે કહ્યું હતું કે આ દુર્ઘટનાના થોડા સમય પહેલા સુધી તે શ્રીદેવી અને બોની કપૂર સાથે જ હતા.

અમર સિંહે કહ્યું હતું કે અમે લોકો ઇન્ડિયા જતા રહ્યાં અને આજ ભૂલ અમારા માટે અભિશાપ બની ગઇ. જો અમે ત્યાં દુબઇમાં હોત તો લગભગ આ દુર્ઘટના ટળી ગઇ હોત. આ અમારી જ ભૂલ હતી કે અમે શ્રીદેવીને ત્યાં એકલી મૂકી દીધી હતી.

અમર સિંહે કહ્યું હતું કે બોની કપૂરે શ્રીદેવીના મૃત્યુની જાણકારી સૌથી પહેલા તેઓને જ આપી હતી. તેઓએ કહ્યું હતું કે ઘટનાની રાતે બોનીએ ને ફોન કર્યો અને જણાવ્યું કે ભાભી નથી રહી. લગભગ સૌથી પહેલો ફોન મને જ કર્યો હતો.

અમર સિંહે એવું પણ કહ્યું હતું કે શ્રીદેવી સાથે તેમની ઘણી ઘનિષ્ઠા હતી કે તેઓ બોની કપૂરની વાત ટાળી શકે પરંતુ તમની વાત ક્યારેય ટાળતી નહીં. તેમના જણાવ્યા પ્રમાણે એક વખત શ્રીદેવી એક વાત પર અડગ બની ગઇ હતી જ્યાં સુધી અમર સિંહ તેમની ફિલ્મ ન જુએ ત્યાં સુધી તે એ ફિલ્મને રીલિઝ નહીં કરે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page