Only Gujarat

Bollywood

એક સમયે કરીના-શાહીદ ગળાડૂબ પ્રેમમાં હતાં, 12-12 વર્ષ બાદ બ્રેકઅપનું સાચું કારણ આવ્યું સામે!

મુંબઈઃ કોરોનાની દહેશત હજુ પણ ઓછી નથી થઈ. આજે પણ અનેક લોકો તેના શિકાર થઈ રહ્યા છે. આ મહામારીના કારણે લોકોના મોત પણ થઈ રહ્યા છે. ભારતમાં પણ આ વાયરસની અસર ઓછી નથી થઈ રહી. અહીં પણ રોજ લોકો મોતના મુખમાં જઈ રહ્યા છે. જોકે, દેશમાં જ્યારે લોકોને ઘરની બહાર નીકળવાની છૂટ મળી ગઈ છે. જોકે સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ જરૂર હોય એટલું જ ઘરની બહાર નીકળી રહ્યા છે. આ વચ્ચે કરીના અને શાહિદના સંબંધોને લઈને એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કરીનાએ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂર્ણ કરી લીધા છે. તેણે ફિલ્મ ‘રિફ્યૂજી’થી બૉલીવુડમાં કદમ રાખ્યા હતા.

કરીના કપૂર અને શાહિદ કપૂરની લવસ્ટોરી બી-ટાઉનની ફેમસ લવ સ્ટોરીઝમાંથી એક છે. 2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફિદા’ના સેટ પર બંનેના સંબંધો શરૂ થયા હતા. અને 2007માં ‘જબ વી મેટ’ આવતા-આવતા તેઓ એકબીજાથી અલગ-અલગ થઈ ગયા. પરંતુ શાહિદ-કરીનાના બ્રેકઅપનું કારણ 12 વર્ષ બાદ સામે આવ્યું છે.

કેટલાંક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેનું બ્રેકઅપ કરીશ્મા અને બબિતાના કારણે થયું. બંને શાહિદને પોતાની બરાબરીનો નહોતી માનતી. કરીનાની બહેનને તેનો શાહિદ સાથેનો સંબંધ પહેલાથી જ પસંદ નહોતો. જ્યારે મૉમ બબિતાએ તેના પર મહોર લગાવી તો તેમનો વ્યવહાર પણ શાહિદ પ્રત્યે બદલાઈ ગયો.

જો કે બંનેને સંબંધોમાં ક્યા કારણોથી ખટાશ આવી તેનું સાચું કારણ હજુ પણ લોકો સામે નથી આવ્યું. એવું કહેવામાં આવે છે કે બ્રેકઅપ માટે, છેલ્લો કૉલ શાહિદે કર્યો હતો. જ્યારે કરીનાએ અનેક વાર પેચઅપ કરવાનો પ્રયાસ કર્યો હતો.

2004માં શરૂ થયેલી કરીના અને શાહિદની લવ સ્ટોરી બી-ટાઉન સાથે મીડિયામાં પણ છવાયેલી હતી. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા. એટલું જ નહીં બંનેએ જાહેરમાં પણ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. પરંતુ બંનેના સંબંધોમાં ખટાશ ત્યારે આવી જ્યારે તેઓ ‘જબ વી મેટ’માં કામ કરતા હતા.

2006માં જ્યારે બંનેએ ‘જબ વી મેટ’નું શૂટિંગ શરૂ કર્યું, ત્યારે તેની વચ્ચે સંબંધો સારા હતા. પરંતુ ફિલ્મનું શૂટિંગ ખતમ થતા સુધીમાં તેમના સંબંધોમાં તિરાડ પડી. ફિલ્મ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે સેટ પર બંને વચ્ચે વાત ઓછી થવા લાગી હતી. અંતિમ સીન શૂટ કરવા તેઓ જ્યારે સેટ પર આવ્યા ત્યારે તેઓ અલગ અલગ આવ્યા હતા. બંનેએ ’36 ચાઈના ટાઉન'(2006), ‘ચુપકે ચુપકે(‘2006), ‘જબ વી મેટ'(2007)માં સાથે કામ કર્યું. બ્રેકઅપ બાદ બંનેની ફિલ્મ ‘મિલેંગે મિલેંગે’ 2010માં આવી હતી.

અહેવાલોનું માનીએ કે શાહિદ અને કરીનાનો સંબંધ તૂટવાનું કારણ અભિનેત્રી અમૃતા રાવને માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ફિલ્મ ‘વિવાહ'(2006)ના શૂટિંગ દરમિયાન બંનેની નજદીકી વધી હતી. જેથી કરીનાને શંકા થઈ હતી પરંતુ આ વાતની પુષ્ટિ આજે પણ થઈ શકી નથી. કરીના-શાહિદના સંબંધો તૂટવાની ખબરો પર આખરી મહોર ત્યારે લાગી જ્યારે 2007માં લેક્મે ફેશન વીકમાં કરીના સૈફ અલી ખાન સાથે નજર આવી. કપલે 2012માં લગ્ન કર્યા હતા. બંનેને એક દીકરો છે તૈમુર અલી ખાન.

કરીના અને સૈફના લગ્નના 3 વર્ષ બાદ શાહિદ મૂળ દિલ્લીની મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. કપલના બે બાળકો દીકરી મિશા અને દીકરો ઝૈન છે.

You cannot copy content of this page