વારાણસીઃ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ત્રણ રશિયન યુવતીઓએ પીપળાના વૃક્ષ સાથે લગ્ન કરી મુક્તિ અને મોક્ષની કામના કરી હતી. વાસ્તવમાં આ યુવતીઓના લગ્ન થવાના છે અને હિંદુ ધર્મમાં માનતી હોવાના કારણે માંગલિક દોષ દૂર કરવા માટે વારાણસીમાં પીપળાના વૃક્ષ સાથે લગ્ન કરી માંગલિક દોષ દૂર કર્યા હતા. શનિવારે આયોજીત આ અનોખા લગ્નની લોકો વચ્ચે ખૂબ ચર્ચા હતી.
હિંદુ ધર્મ અપનાવી ચૂકેલા 37 રશિયન સભ્યો બે દિવસના વારાણસી પ્રવાસ પર પહોંચ્યા છે. આદરમિયાન તમામ સભ્યોએ મંદિરોમાં દર્શન અને પૂજા કરી હતી. જ્યારે માંગલિક દોષ દૂર કરવા માટે ત્રણેય યુવતીઓએ હિંદુ ધર્મની પરંપરા અનુસાર પીપળાના વૃક્ષ સાથે લગ્ન કર્યા હતા. અન્ય સભ્યો રુદ્રાભિષેક કર્યો હતો.
રુદ્રાભિષેક અને લગ્ન સમારોહનું આયોજન નદેસર પેટ્રોલ પંપ સાથે સ્થિત એક હોટલમાં કરવામાં આવ્યું હતું. ટુરિઝમ વેલફેર અસોસિયેશનના અધ્યક્ષ રાહુલ મહેતાએ કહ્યુ કે, વિદેશી મહેમાનોમાં ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિ પ્રત્યે આકર્ષણ વધવા લાગ્યું છે.
જે હેઠળ તમામ સભ્યોને આરએનપી મિશ્ર સહિત અન્ય બ્રાહ્મણોમાં રૂદ્રાભિષેક કર્યો હતો. તેમણે દુર્ગા, હનુમાન ચાલિસા સહિત અનેક આરતી પણ પુરી રીતે યાદ છે.