મુંબઈઃ ઋચા ચઢ્ઢા બોલિવૂડની મુખ્ય એક્ટ્રસમાંથી એક છે. સોશિયલ મીડિયા પર ઋચા ચઢ્ઢા સામાજિક અને રાજકીય મુદ્દા પર તેમનો મત રજૂ કરતી જોવાં મળે છે. અત્યારે જ્યારે બોલિવૂડમાં નેપોટિઝ્મ અંગે ચર્ચા છે, ત્યારે ઋચા ચઢ્ઢાએ તેમના બ્લોગમાં ખુલાસો કર્યો છે.
ઋચા ચઢ્ઢાએ તેમના બ્લોગમાં લખ્યું છે કે, ‘એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઇન્ડસ્ટ્રી આઉટસાઇડર્સ અને ઇનસાઇડર્સ વચ્ચે વિભાજિત છે. મારું માનવું છે કે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને આખી ઇકો સિસ્ટમ માત્ર દયાળુ અને નિર્દયી લોકો વચ્ચે જ વિભાજિત છે. મેં અહીં ઓછો સમય પસાર કર્યો છે અને હું મારા પરિવારની પહેલી સદસ્ય છું. મને લાગે છે કે, ઇન્ડસ્ટ્રી એક ફૂડ ચેનની જેમ સંચાલિત થાય છે. લોકો અહીં ઓછા બદમાશ નથી, જ્યારે તેમને લાગે છે કે, તે હવે ખુદ આ રાહ પર ચાલી શકશે ત્યારે તે તેમના પોતાનો સાથ છોડી દે છે.’
ઋચાએ વધુમાં લખ્યું કે, ‘એવા પણ ઇનસાઇડર્સ છે જે દયાળું અને મદદ કરનારા છે. સાથે જ એવાં આઉટસાઇડર્સ છે, જે ઘમંડમાં ચૂર હોય છે. મારા કરિયરના શરૂઆતી દિવસોમાં આઉટસાઇડર્સને લીધે મારો રોલ કાપવામાં આવ્યો હતો. આ બધામાંથી બહાર આવવાં મારે પૂરી તાકાત લગાવવી પડી પણ આ મારા વિશે નથી. દુખદ વાત છે કે, અહીં દરેકના અનુભવ અને પોતાના તેમના સંસ્કરણ છે.’
નેપોટિઝ્મ પર ઋચાએ લખ્યું કે, ‘અમારી પાસેથી આશા રાખવામાં આવે છે? જો કોઈના પિતા એક સ્ટાર છે તો તે ત્યાં જન્મી રહ્યા છે, જેમ અમે અમારા ઘરમાં. શું તમારા પોતાના માતા-પિતા પર શરમ આવે છે? આ એક ઘૃણિત અને બકવાસ તર્ક છે. મેં અહીં ખુદ ઓળખ બનાવી છે. શું તમે મારા બાળકોને જે પણ મારી પાસે છે, મારા સંઘર્ષથી શરમિંદા થવા માટે કહેશો?’
સુશાંત સિંહ રાજપુત વિશે ઋચાએ લખ્યું કે, ‘સુશાંત અને મેં એક થિએટરમાં સાથે વર્કશોપ કર્યું હતું. હું અંધેરી પશ્ચિમમાં દિલ્લીના એક ફ્રેન્ડ સાથે 700 વર્ગ ફૂટના એપાર્ટમેન્ટમાં રહેતી હતી. સુશાંત મને લેવા આવતો હતો અને બાઇકથી લિફ્ટ આપતો હતો. આ માટે હું તેની ખૂબ જ આભારી છું. મારી સ્થિતિ તે સમયે ખૂબ જ ખરાબ નહોતી પણ, હું તેમ નથી કહી શકતી કે રૂપિયાનું ધ્યાન હોતું નથી. હું એક સ્કિન બ્રાન્ડની એડ ઓડિશન માટે તે સમયે રિક્ષાથી જવામાં મારો મેકઅપ ખરાબ થઈ જવાનો ડર લાગતો હતો. આવું ક્યારેય કોઈ સ્ટાર કિડ સાથે નહોતું થતું, જો તેમની સાથે આવું થાય તો તે ઑટૉ રિક્ષામાં તે સ્થાને પહોંચવા પર તેમની સરાહના કરવામાં આવશે. હું તેમના વિશેષાધિકાર પર નારાજ નથી.’
ઋચાએ લખ્યું કે, ‘સોશિયલ મીડિયા પર એક્ટરના ફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડને લઈ ખરાબ કોમેન્ટ કરવામાં આવી રહી છે. આ કયા પ્રશંસક છે?. મેં ઓનલાઇન કેટલીક પ્રોફાઇલ ચેક કરી છે. આ તે લોકો છે જેમણે તે સમયે સુશાંતને ગાળો આપી હતી, જ્યારે તેમને ફિલ્મ પદ્માવત પર સ્ટેન્ડ લીધું હતું.
અત્યારે તે તેમના પ્રિયજનોને એક્ટર ન રહેતા ગાળો આપી રહ્યા છે.’ ઋચા કહે છે કે, ‘અનેક ફિલ્મમેકર જો એક મહિના પહેલાં શોક સંદેશ આપી રહ્યા હતા, તે એવા લોકો છે જેમણે છેલ્લા સમયે એક્ટ્રસને રિપ્લેસ કરી દીધી જેમણે તેમની સાથે સૂવા માટે ના પાડી હતી. સાથે જ એવી ભવિષ્યવાણી કરી કે તમારું કંઈ જ નહીં થાય.’